કોમનવેલ્થ ગેમ્સ 2022ની ઠીક શરૂઆત પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટોક્યો ઓલંપિકમાં ગોલ્ડ મેડલ જીતનારા જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે.
કોમનવેલ્થ ગેમ્સ 2022 અગાઉ ભારતને મોટો ઝટકો
ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થયાં
ઈજાગ્રસ્ત હોવાના કારણે લીધો આ નિર્ણય
કોમનવેલ્થ ગેમ્સ 2022ની ઠીક શરૂઆત પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટોક્યો ઓલંપિકમાં ગોલ્ડ મેડલ જીતનારા જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે. થોડા દિવસ પહેલા જ વર્લ્ડ એથલેટિક્સમાં સિલ્વર જીતનારા નીરજ ઈજાગ્રસ્ત થતાં કોમનવેલ્થ ગેમ્સ મિસ કરી રહ્યા છે.
Neeraj Chopra will not take part in #CommonwealthGames2022. He is not fit as he got injured in the finals of World Athletic Championship. He informed us about this: Rajeev Mehta, Secretary General, IOA to ANI
ભારત મોટા ભાગે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરતું આવ્યું છે અને ટોપ 3માં પોતાની જગ્યા કન્ફર્મ કરે છે. આ વખતે પણ સૌ કોઈને આશા હતી કે, નીરજ ચોપડાના કારણે જૈવલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ પાક્કો છે. પણ નીરજ ચોપડાએ ખુદ કન્ફર્મ કર્યું છે કે, તે ઈજાગ્રસ્ત હોવાના કારણે આ રમતમાં ભાગ લઈ શકશે નહીં.
આપને જણાવી દઈએ કે, આ વખતે કોમનવેલ્થ ગેમ્સ ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઈ રહી છે. જેની શરુઆત 25 જૂલાઈથી છે. ભારત તરફથી આ વખતે 200થી વધારે સભ્યોનું પ્રતિનિધિમંડળ કોમનવેલ્થ ગેમ્સમાં મોકલવામાં આવ્યું છે જેમાં સવા સોથી વધારે ખેલાડીઓ સામેલ છે.