નવી દિલ્હી: આમ તો લીમડો સ્કીન માટે ખૂબ ફાયદાકારક હોય છે, પરંતુ આ પથરી અને કિડની સહિત ઘણી અન્ય ગંભીર બિમારીઓથી બચવામાં પણ મદદરૂપ થાય છે. દરરોજ એને સીમિત માત્રામા લેવાથી શારિરીક નબળાઇ દૂર થાય છે. સાથે સ્કીનમાં નિખાર પણ આવે છે.
લીમડાના પાન અને બીજથી બનેલી ચાનું સેવન કરવાથી પથરીની સમસ્યાથી છુટકારો મળે છે. આ પથરીને ઓગાળવામાં શરીરથી બહાર નિકાળવામાં મદદ કરે છે.
લીમડાના બીજ શરીરને ડિટૉક્સ કરવા સૌથી સારા હોય છે. દરરોજ એને ખાવાથી કિડની અથવા લીવરનું ઇન્ફેક્શન દૂર થાય છે.
લીમડાના બીજમાં શક્તિશાળી જીવાણુરોધી ગુણ હોય છે. જે ઇન્ફેક્શન બેક્ટેરિયાથી વિકાસ અને પ્રભાવ બંનેને ઓછું કરે છે. એટલા માટે જો કોઇને સ્કીનની બિમારી છે તો એમને લીમડાના બીજનું સેવન કરલું જોઇએ.
આંખ અને કાનમાં થનારા ઇન્ફેક્શનની અસરને ઓછી કરવા માટે લીમડાના બીજનો ઉપયોગ ફાયદાકારક બને છે. એના ઉપયોગ માટે લીમડાના બીજના અર્કને ઘસીને એનો રસ નાંખો. એનાથી લાભ થશે.
લીમડાના બીજની પેસ્ટ લગાવવાથી સ્કીનના ડાઘ-ધબ્બા દૂર થાય છે. કારણ કે એમાં રહેલા એન્ટીઑક્સીડેન્ટ અને એન્ટીફંગલ ગુણ બેક્ટેરિયાનો જામ થવા દેતા નથી.
અનિચ્છિય ગર્ભને રોકવા માટે લીમડાના બીજ અસરદાર સાબિત થાય છે. કારણ કે આ સ્વાદમાં કડવું હોય છે. આ શુક્રાણુઓને વિક્સિત થવા દેતા નથી.
લીમડાના બીજમાં એન્ટીઑક્સીડેન્ટ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જે ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે. એના સેવનથી શરદી ખાંસી અથવા વાયરલ તાવ જલ્દી આવતો નથી.
જો કોઇને સોરાઇસિસ અથવા સ્કીનને કોઇ બીજી બિમારી છે તો લીમડાના બીજના તેલનો ઉપયોગ કરો. આ ફંગસને દૂર કરીને સ્કીનને રિપેર કરવામાં મદદ કરે છે.
લીમડાના દરરોજ 3 થી 4 બીજ ખાવાથી લોહી ચોખ્ખું રહે છે. એનાથી લોહીમાં ઑક્સીજનનું પ્રમાણ સારું રહે છે.