લીમડાનો રસ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જાણો આ રસ પીવાથી સ્વાસ્થ્યને ક્યા ક્યા ફાયદાઓ થાય છે.
લીમડો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
પેટની સમસ્યાઓ થશે દૂર
સ્કીન માટે પણ ઉપયોગી
ચૈત્ર માસ એટલે વસંત ઋતુનો ઉત્તરાર્ધ. આ માસમાં લીમડાના ઝાડ પર મોર આવે છે. આયુર્વેદના મત પ્રમાણે ચૈત્ર માસમાં આ મોર એક ઔષધિ તરીકે ઉપયોગી નીવડે છે. ત્યારે તમામ પ્રકારના તાવ તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવવા લીમડાના મોર અને કુમળા પાનનો રસ પીવો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા માટે ફાયદાકારક છે. લીમડો એક એવું ઝાડ છે જેમાં ઘણા બધા પ્રકારના ઔષધીય ગુણ હોય છે. લીમડાના બધા જ પોષક તત્ત્વના કારણે આપણા શરીરમાં ફાયદો થાય છે.
લીમડાનાં સેવનથી પેટથી લઇને ત્વચાની સમસ્યા અને ત્યાં સુધી કે સ્વાસ્થ્યની તકલીફમાં પણ રાહત મળે છે. લીમડાનાં ફૂલ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
લીમડાનાં કૂલ શરીરના મેટાબોલિક રેટને સારું રાખે છે, જેનાથી કેલેરી બર્ન થઇ ફેટ ઘટાડવામાં મદદ કરે છે. તેથી લોકો તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરે છે.
લીમડાને ચૈત્ર મહિનામાં કુમળાં-કુમળાં પાન અને સફેદ ફૂલની માંજર આવે છે જેને મોર પણ કહેવામાં આવે છે.ઘણા લોકો આ પાન અને ફૂલને વાટીને તેમાં થોડું મીઠું નાખીને પીએ છે.
એનાથી ઉનાળામાં ચામડી પર આવતી ખંજવાળ, દાદર, ખરજવું વગેરે દર્દો દૂર થાય છે. લીમડો એસિડિટીને જડમૂડથી નાબૂદ કરનાર ઔષધ છે. વળી જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમને લીમડાનાં પાન અને નમકનું મિશ્રણ ખૂબ ઉપયોગી થાય છે.
અરુચિ અને એસિડિટીના દર્દીઓએ ચૈત્ર મહિનામાં લીમડાની માંજર અને કુમળાં પાનનો રસ અવશ્ય પીવો જોઈએ. તે ત્વચાનાં દર્દોમાં ચમત્કારિક પરિણામ આપે છે અને વર્ષો જૂના ત્વચાનાં રોગો દૂર થાય છે. લીમડાનાં પાન કે તેના પાઉડરને પાણીમાં ઉકાળીને સ્નાન કરવાથી ચામડીના રોગો ઝડપથી મટે છે.
ચૈત્ર માસમાં લીમડાના રસનું સેવન શરીરમાં કફનો પ્રકોપ ઓછો કરે છે અને સાથે સાથે ઋતુજન્ય અને વાયરસજન્ય રોગો સામે રક્ષણ આપે છે.