લીમડો અને હળદરનો ઉપયોગ પ્રાચીન કાળથી ઘણા ઘરગથ્થુ ઉપચાર માટે કરવામાં આવે છે. આ બન્ને જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ઈમ્યુનિટી વધારે છે હળદર અને લીમડો
બેક્ટેરિયાને મારી શરીર રાખે છે સ્વસ્થ્ય
જાણો અન્ય ફાયદાઓ વિશે
ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે ઘણા પ્રકારના પ્રાકૃતિક ફૂડ્સને ડાયટમાં શામેલ કરી શકો છો. જ્યારે બીમારીઓ દૂર કરવા માટે પ્રાકૃતિક પ્રોડક્ટરનો ઉપયોગ કરવાની વાત આવે છે તો લીમડા અને હળદરનો યાદીમાં સૌથી ઉપર આવે છે.
ઔષધીય ગુણોના કારણે લાંબા સમયથી લીમડો અને હળદર ઘરગથ્થુ ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. લીમડાના પત્તાના રસને એક ચપટી હળદરની સાથે હુંફાળા પાણીમાં મિક્ષ કરીને સેવન કરો. તેનાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે. આ ઉપચાર સામાન્ય શરદીથી લઈને ગંભીર બીમારીઓ સુધીને રોકવામાં કારગર સાબિત થઈ શકે છે.
બેક્ટેરિયાને મારે છે
પોતાના ઔષધીય ગુણોના કારણે લીમડા અને હળદર શરીરમાં બેક્ટેરીયા અને ફંગસને સંક્રમિત થવાથી બચાવવામાં મદદ કરે છે. તેની એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ શરીરને સ્વસ્થ્ય બનાવવામાં મદદ કરે છે.
ફ્લૂથી બચાવ
વાતાવરણ બદલાવવાની સાથે શરદી, ખાંસી અને બંધ નાકની સમસ્યા થવી સામાન્ય વાત છે એવામાં વાયરલ ફ્લૂની સારવારમાં લીમડા અને હળદરનું સેવન ખૂબ જ કારગર બની શકે છે. હળદરના એન્ટીવાયરલ ગુણ વાયરલ ફ્લૂથી જલ્દી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
ઈમ્યુનિટીને વધારે છે
લીમડો અને હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડન્ટ ગુણ હોય છે. લીમડા અને હળદરનું સેવન કરવાતી ઈમ્યુનિટીને વધવામાં મદદ મળે છે.
તમારી ત્વચાને ગ્લોઈંગ બનાવે છે
લીમડા અને હળદળના સેવનથી ત્વચાની મૃત કોશિકાઓ ગાયબ થવા લાગે છે. તે ઉપરાંત શરીરની સફાઈ કરે છે. તેનાથી તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારી ત્વચા પણ નિખરવા લાગે છે. આ ત્વચા પર પ્રાકૃતિક ગ્લો લાવવામાં મદદ કરે છે.
લીમડા અને હળદળના ફાયદા
લીમડામાં ઔષધીય તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેના પત્તાથી લઈને મુળનો ઉપયોગ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. લીમડો એન્ટી ઈન્ફ્લેમેટરી, એન્ટી બાયોટિક અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે.
હળદળમાં કરક્યુમિન નામનું એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. હળદળમાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ હોય છે. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. હળદર શરદી ખાંસી, જોઈન્ટ પેઈન અને અપચાથી રાહત અપાવવામાં મદદ કરે છે. તે લિવરના કાર્યને સારૂ કરવામાં મદદ કરે છે. આ પાચન તંત્રને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. હળદળ બેક્ટેરિયાના સંક્રમણને ખતમ કરવામાં મદદ કરે છે.