જે વિદ્યાર્થી પોતાના અભ્યાસકાળ દરમિયાન નાસીપાસ થઈને હતાશા તરફ ધકેલાય ગયો હોય અને જીવનને તુચ્છ માનીને જીવન ટુંકવવાનો વિચાર કર્યો હોય એવા વિદ્યાર્થીઓ એક વાર નવસારીના નિલ નાયકને મળવું જોઇએ. નવસારી જિલ્લાના તલોધ ગામના આ નિલ નાયકની બોર્ડની પરીક્ષાની સફરનો અભ્યાસ કરશો તો પોતાના દુઃખો ભૂલી જશો અને એમના જીવનમાં નવા પ્રાણ ફૂંકાશે એ ચોક્કસ છે.
હારથી 'હાર' ન માની આગળ વધતા રહો
26 વાર ધોરણ-12માં ફેઈલ છતાં કહેવાય છે ડૉક્ટર
આમને હાર આપે છે જીતની પ્રેરણા
'તમારાથી કાંઈ થઈ શક્તું ન હોય તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો' આવા મેણા આપણે ખુબ સાંભળિએ છીએ. જેનું પરિણામ ક્યારેક ગંભીર પણ જોવા મળે છે. વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવું પગલું પણ ભરી લે છે. પરંતુ આવા મેણા મારનારાઓની બોલતી બંધ કરતી એક ઘટના નવસારીથી સામે આવી છે. જ્યાં એક ભાઈ 12માં ધોરણની પરીક્ષા સતત 27મી વખત આપવાની તૈયારીમાં છે. એટલે કે, 26 વખત નાપાસ થયા છે. એટલું જ નહીં પોતે Phd પણ કરી ચૂક્યા છે પણ 12મું પાસ નથી કરી શક્તા. ત્યારે શું આ અજીબો-ગરીબ પ્રેરણાદાયી કહાણી...
26 વાર નપાસ થયો પરંતુ 27મી વખત પરીક્ષા આપવા ઉત્સાહિત
હાલના સમયમાં ભણતરનો બોજો વધુ પડતી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને તણાવગ્રસ્ત બનાવવા માટે જવાબદાર બની છે. છેલ્લા 3 વર્ષના સર્વેમાં 1764 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે એટલે કે મહિને 49 વિદ્યાર્થીઓ ગુજરાતમાં જીવન ટુકાવી રહ્યા છે. એવા ભયાનક પરિબળો સામે પણ લોકોમાં જુસ્સો પૂરતો આ બીલીમોરના તલોધ ગામનો યુવાન નિલ નાયક 26 વાર પરીક્ષા આપવા છતાં નાસીપાસ થયો નથી. 27મી વાર બોર્ડની પરીક્ષા આપવા થનથની રહ્યો છે. જોકે ડિપ્લોમાં કરીને ડિગ્રી કોર્ષ કરીને આજે Phd થયો છે પણ 12માં ધોરણની પરીક્ષામાં પાસ થવા ટેક લીધી છે.
ડિપ્લોમા, ડિગ્રી, B.Sc, M.SC કરીને વિદ્યાર્થીને ભણાવતો થયો પણ આપવી છે 12માંની પરીક્ષા
નિલ નાયક જે 27મી વાર પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. 26 વાર પરીક્ષામાં નાપાસ થયા બાદ પણ કરોળિયાની માફક પોતાની જાણ બાંધીને આગળ વધી રહ્યો છે. પોતાના કરતા નાની ઉંમરના વિદ્યાર્થીઓ સાથે નાનમ રાખ્યા વગર સાથે બેસીને પરીક્ષા આપવા શરમાતો નથી. જોકે ડિપ્લોમા અને ડિગ્રી કરીને આજે B.Sc, M.SC કરીને વિદ્યાર્થીને ભણાવતો થયો છે પણ એક HSC સાયન્સની બોર્ડની પરીક્ષા કઈપણ કરીને પાસ કરવાની તમન્નાને લઈને પરીક્ષા આપવા આતુર બન્યો છે. જેને નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ વધાવી લીધો છે.
એક દિવસ પાસ થવાની આશા...
મધદરિયે જીવન નૈયા ડૂબવાની હોય ત્યારે ખલાસી હોળીને હલેસા મરવાનું બંધ કરે તો નૈયા ડૂબી જાય છે અને તો હલેસા પર હલેસા મારે તો આ નૈયા બચી જાય છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ શેક્ષણિક જીવનમાં હતાશ થયા વગર હલેસા પર હલેસા મારશે તો એક દિવસ એમના માટે સોનાનો સુરજ લઈને આવશે અને લોકો માટે ઉદાહરણ અને પ્રેરણાબળ પૂરું પાડશે.