રાજ્ય સરકાર દ્વારા આધારકાર્ડ સુધારા-વધારા કે નવું કાઢવા માટે ખાસ નમૂના મુજબનું ફોર્મ પ્રસિદ્ધ કરાયું છે. હવે પછી આધારકાર્ડના તમામ અરજદારો માટે નિયત નમૂના મુજબના ફોર્મમાં વિગત ભરીને સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. અત્યાર સુધી નવું આધારકાર્ડ કઢાવવા કે તેમાં સુધારા-વધારા માટે સંસદસભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટર, સરકારી પ્રથમ વર્ગના અધિકારી દ્વારા તેમના લેટરહેડ પર ફોટા ઉપર સહી-સિક્કા કરી સર્ટિફિકેટ આપવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા આધારકાર્ડ સુધારા-વધારા કે નવું કાઢવા માટે ખાસ નમૂના મુજબનું ફોર્મ પ્રસિદ્ધ કરાયું
શહેરમાં આધારકાર્ડ કઢાવવાનાં ૪૦ સરકારી સેન્ટર
દરરોજ નવા આધારકાર્ડ માટે કેટલી અરજી આવે છે ?
આધારકાર્ડની મુખ્ય ઓથોરિટી દ્વારા આધારકાર્ડ નવું કઢાવવા અથવા આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા માટે કોઇપણ પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવે ત્યારે તે સર્ટિફિકેટ આપવા માટેનો નમૂનો પ્રસિદ્ધ કરાયો છે. આ નમૂના મુજબ જ સર્ટિફિકેટ આધારકાર્ડમાં સુધારા-વધારા કે નવું કાઢવા માટે માન્ય ગણાશે. જાણકાર સૂત્રો કહે છે, હાલમાં ૬૦ લાખથી વધુ લોકો આધારકાર્ડ ધરાવે છે. જ્યારે દરરોજ નવા આધારકાર્ડ માટે ૧૦૦ થી ૧પ૦ અરજી અને આધારકાર્ડમાં સુધારા-વધારા માટે ૧પ૦૦ થી ૧૬૦૦ અરજી આવે છે.
શહેરમાં આધારકાર્ડ કઢાવવાનાં ૪૦ સરકારી સેન્ટર છે
શહેરમાં આધારકાર્ડ કઢાવવાનાં ૪૦ સરકારી સેન્ટર છે. છેલ્લા બે થી વધુ વર્ષથી તમામ ખાનગી સેન્ટરને તાળાં મરાયાં છે. મ્યુનિ. તંત્રની સબ ઝોનલ કચેરી અથવા સિવિક સેન્ટરમાં આધારકાર્ડના સરકારી સેન્ટર ચાલે છે. ઉપરાંત તમામ પોસ્ટઓફિસ, સરકારી બેન્ક તેમજ કેટલીક ખાનગી બેન્કમાં પણ આધારકાર્ડનાં સેન્ટર ચાલે છે. આધારકાર્ડના સર્ટિફિકેટ માટે કેટલાક સંસદસભ્ય સહિતના પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા કોરા લેટરહેડ અપાતાં હોઇ તેમાં ગેરરીતિ થતી હતી. આ ગેરરીતિ થતી અટકાવવા નિયત નમૂનાનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે.