અર્થવ્યવસ્થામાં પ્રાણ પુરવાનું કામ મજૂરો દ્વારા થાય છે. જો કે કેટલાક રાજ્યો તેમને બહારના ગણે છે અને તેના માટે પોતાના રાજ્યના લોકોને રોજગારી આપવા અનામતનો કાયદો લાવ્યા છે. અત્યારે એ રાજ્યનોને પ્રવાસી મજુરોને પાછા લાવવા ફાંફા પડી રહ્યા છે. જેનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે ફેક્ટરીઓના માલિક શ્રમિકોને કાર, બસ, ટ્રેન અને પ્લેનમાં પણ પરત લાવવાની ઓફર કરી રહ્યા છે.
મધ્યપ્રદેશના સીએમએ સરકારી નોકરી પર મધ્યપ્રદેશના યુવાઓનો જ હક હોવાનું કહ્યું છે
મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ સેક્ટરમાં પણ 80 ટકા નોકરી આરક્ષિત કરવાની યોજના છે
કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ અનામતની નીતિ લાગુ છે
કોરોના વાયરસના કારણે મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે હવે શ્રમિકોને ફરી પાછા લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કારણ કે શ્રમિકો વિના ફેક્ટરીઓ પૂરી ક્ષમતાથી ઉત્પાદન કરી રહી નથી. જેને લઇ કોરોના કાળ પહેલા જે રાજ્યોમાં પ્રવાસીઓને બહારના ગણવામાં આવતા હતા. અને સ્થાનિક નાગરિકો માટે અનામતનો કાયદો લવાયો હતો. અથવા તેના પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. હવે તે રાજ્યો દ્વારા જ શ્રમિકોની રાહ જોવામાં આવી રહી છે.
ફેક્ટરીઓના માલિક શ્રમિકોને કાર, બસ, ટ્રેન અને પ્લેનમાં પણ પરત લાવવાની ઓફર કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીની સાથે સ્થાનિકોને ખાનગી કંપનીઓમાં પણ અનામતનો કાયદો લવાયો છે. જ્યારે ગોવા અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં સ્થાનિક લોકોની ભરતી કરવા પર ઇન્સેન્ટીવ અપાય છે. હરિયાણામાં સરકાર પ્રાઇવેટ સંસ્થાનોમાં 75 ટકા નોકરી સ્થાનિક યુવાઓ માટે આરક્ષિત કરવાનો પ્રસ્તાવ લાવી રહી છે.
જ્યારે મધ્ય પ્રદેશમાં પણ રાજ્યની સરકારી નોકરીઓ પર માત્ર મધ્યપ્રદેશના યુવાઓનો જ હક હશે તેવું કહ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર પ્રાઇવેટ સેક્ટરમાં પણ 80 ટકા નોકરીઓ રાજ્યના લોકો માટે જ આરક્ષિત કરવાની યોજના બનાવી રહી છે. જેમાં 15 વર્ષથી મહારાષ્ટ્રમાં રહેતા લોકોને સામેલ કરાશે. તો કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ અનામતની નીતિ લાગુ છે.
અનુચ્છેદ 16ની એક જોગવાઇ મુજબ નિવાસસ્થાન પર અનામતનો અધિકાર અપાયો છે. રાજ્યો અનુચ્છેદ 16 અંતર્ગત કાયદો લાવી શકે છે. જો કે અનામતનો ઉદ્દેશ જે લોકોને પ્રતિનિધિત્વ નથી મળતું તેમને આગળ લાવવાનો હોવો જોઇએ. કોઇપણ રાજ્ય તમામ નોકરીઓ આરક્ષિત ન કરી શકે. રાજ્યમાં તમામ નોકરીઓ આરક્ષિત કરવી બંધારણની વિરુદ્ધનું છે. બંધારણમાં નાગરિકોને અન્ય જગ્યાએ કામ કરવાનો પણ અધિકાર છે.