મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઇને શિવસેનાના પ્રયત્નો સફળ થઇ રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યું છે અને સરકાર બનાવાની સ્થિતિમાં તેમનો મુખ્યમંત્રી પણ બનતો જોવામાં આવી રહ્યો છે. જો કે તેમ છતા શિવસેનાની એક ઇચ્છા અધૂરી રહે તેવુ લાગી રહ્યું છે. શિવસેના ઇચ્છી રહી છે કે 17 નવેમ્બરના રોજ રાજ્યમાં સરકારનું ગઠન થઇ જાય. 17 નવેમ્બરના રોજ શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબઠાકરેની પુણ્યતિથિ છે. આમ આ દિવસ શિવસેના માટે ઘણો મહત્વનો છે.
મહારાષ્ટ્રમાં સરકાર ગઠન ક્યાં સુધી
શરદ પવારનો સંકેત, હજી લાગી શકી છે વાર
આવતી કાલે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે મુલાકાત
શરદ પવારના નિવેદનથી શિવસેનાને લાગી શકે છે ઝટકો
શિવસેનાની આ ઇચ્છાને NCP અધ્યક્ષ શરદ પવારના નિવેદનથી ઝટકો લાગી શકે છે. શરદ પવારે જણાવ્યું છે કે સરકાર બનવાને લઇને હજુ સમય લાગી શકે છે. શરદ પવારે સમાચાર એજન્સી સાથેની અનૌપચારિક વાતચીતમાં કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર ગઠનમાં હજી સમય લાગી શકે છે.
શિવસૈનિક બને CM, બાલા સાહેબનું સપનું
મહારાષ્ટ્રમાં શિવસેના સતત કહેતી આવી છે કે બાલા સાહેબનું સપનું હતું કે એક દિવસ એક શિવસૈનિક મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બને. ઉદ્ધવ ઠાકરેએ આ અગાઉ કહી ચૂક્યાં છે કે બાલા સાહેબને વચન આપ્યું હતું કે એક દિવસ શિવસેનાનો CM હશે. આ વચનને લઇને શિવસેના BJP પર દબાણ બનાવી રહી હતી.
આવતી કાલે શરદ પવાર અને સોનિયા વચ્ચે મુલાકાત
NCP અધ્યક્ષ શરદ પવાર અને કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને આવતી કાલે મુલાકાત યોજાશે.
કોંગ્રેસ-NCPની CM તરીકે ઉદ્ધવ ઠાકરે પસંદ
કોંગ્રેસ અને NCP ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારના મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. સૂત્રોને મળતી માહિતી મુજબ બંને દળના નેતાઓએ શિવસેનાને જણાવી દીધુ છે કે તેઓ ઉદ્ધવ ઠાકરે સિવાય તેમની પાર્ટીમાંથી બીજો કોઇ ચહેરો ગઠબંધન સરકારના મુખ્યમંત્રી તરીકે જોવા માગતા નથી.