ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi)એ મંગળવારે કહ્યું કે ભારતને એવા નેતૃત્વની જરૂર છે, જે વડાપ્રધાનની સામે નીડર બનીને વાત કરી શકે, અને તેમની સાથે દલીલ રજૂ કરી શકે.
એમણે કહ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને ચર્ચા કરવાની પરંપરા લગભગ ખતમ થઇ ચૂકી છે. જેને ફરી શરૂ કરવી પડશે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આ ટિપ્પ્ણી જુલાઇમાં દિવંગત કોંગ્રેસ નેતા જયપાલ રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત એક કાર્યક્રમમાં કરી.
એમણે હિન્દીમાં કહ્યું કે, ''મારુ માનવું છે કે એવા નેતૃત્વની જરૂર છે, જે નીડરતાથી પોતાની વાત રજૂ કરે, સિદ્ધાંતોના આધારે વડાપ્રધાન સાથે દલીલ કરે, કોઇપણ જાતનો ડર રાખ્યા વિના, અને એ વાતનો ડર રાખ્યા વિના કે વડાપ્રધાન નારાજ થશે કે ખુશ...''
85 વર્ષીય દિગ્ગજ રાજનેતાની ટિપ્પણી એટલા માટે મહત્વપૂર્ણ છે, કેમકે એમણે પાર્ટીના વર્તમાન નેતૃત્વની ટીકા કરતા રહે છે અને આ વર્ષે એમણે લોકસભા ચૂંટણી લડવાની તક ન આપવા પર જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. મુરલી મનોહર જોશી તથા પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી વર્ષ 2014થી શરૂ થયેલ નરેન્દ્ર મોદી-અમિત શાહ યુગમાં એ નેતાઓમાં સામેલ કરી દેવામાં આવ્યા છે, જેમને ફરજિયાત સેવાનિવૃત્ત કરી દેવાયા હતા.
#WATCH: Murli Manohar Joshi, senior BJP leader says,"I think there is a need for such a leadership today which expresses views clearly, can debate with the Prime Minister based on principles, without any inhibition and not worrying about making him happy or sad." (3/9) pic.twitter.com/Yk59BRnky0
મંગળવારના કાર્યક્રમમાં મુરલી મનોહર જોશીને યાદ કર્યા કે 1990ના દાયકામાં જ્યારે જયપાલ રેડ્ડી મંત્રી હતા. ત્યારે તે બૌદ્ધિક સંપત્તિ અધિકારો પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ ફોરમના સભ્ય પણ હતા. અને મોટાભાગે સરકારના વલણથી અલગ વિચાર રજૂ કર્યા કરતા હતા.
એમણે બૌદ્ધિક સંપદા અધિકાર (IPR) જેવા મહત્વપૂર્ણ મુદ્દા પર જયપાલ રેડ્ડી અને વામપંથી દળો સહિત અન્ય દળોના નેતાઓની હાજરી વાળા વિભિન્ન નેતાઓના સમૂહો (ફોરમ)નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સમૂહોમાં પક્ષની વિચારધારાથી હટીને વિચાર વિમર્શ થતો હતો.
મુરલી મનોહર જોશીએ કહ્યું કે,''કેટલાક મામલામાં CPM નેતા સીતારામ યેચૂરી પોતાના નામ મુજબ 'સીતારામ'નું ધ્યાન રાખીને અમારો (BJP) સાથ આપતા હતા અને ક્યારેક અમે પણ એમનો (વામપંથી વિચારધારા) સાથ આપતા હતા...' આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, પૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહન સિંહ તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ પણ હાજર હતા.