દેશમાં કોરોના દર્દીના આંકડા ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 24 હજાર 248 નવા કેસ સામે આવ્યાં છે અને 425 લોકોના મૃત્યું થયા છે. આરોગ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે જાહેર કરવામાં આવેલ અપડેટ મુજબ દેશમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો 6 લાખ 97 હજાર 413 છે, જેમાં 19 હજાર 693 લોકોના મૃત્યું થયા છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 24 હજારથી વધારે નવા કેસ
અત્યાર સુધીમાં 4.24 લાખ દર્દીઓ સાજા થઇ ગયા
કોરોનાથી અત્યાર સુધીમાં 4 લાખ 24 હજાર 433 લોકો ઠીક થઇ ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 15 હજાર 350 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યાં છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 53 હજાર 287 છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)ના જણાવ્યાં મુજબ 5 જુલાઇ સુધી કુલ 99 લાખ 69 હજાર 662 સેંપલનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.
દેશમાં આંકડાઓ મુજબ કોરાનાના સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 86 હજારથી વધારે સંક્રમિતોનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. ત્યાર બાદ બીજા નંબર પર તામિલનાડુ, ત્રીજા નંબર પર દિલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમા નંબર પર ઉત્તર પ્રદેશ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.
કોરોનાના મામલે ભારતે હવે રશિયાને પાછળ છોડી દીધુ છે. ભારત હવે દુનિયા ટેપ ત્રણ દેશમાંથી એખ થઇ ગયું છે, જ્યાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે. દુનિયામાં પહેલા નંબર પર અમેરિકા અને બીજા નંબર પર બ્રાઝિલ છે.