પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના (PM- SYM) હેઠળ 46 લાખ કામદારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
પ્રધાનમંત્રીની આ યોજનામાં કરો રજીસ્ટ્રેશન
મળશે ઘણા બધા લાભ
2019માં શરૂ થઈ હતી આ યોજના
કેન્દ્ર સરકારની (Central Government) અને ઘણા પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. જે હેઠળ ખેડૂતો, મજૂરો, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો અને ગરીબોને આર્થિક સહાયતા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના (PM- SYM) તેમાંથી જ એક છે. આ યોજના હેઠળ અસંગઠિકત ક્ષેત્રના લગભગ 46 લાખ કામદારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શ્રમ મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ વિશે જાણકારી આપી છે.
2019માં શરૂ થઈ હતી આ યોજના
સરકારે માસિક પેન્શનના રૂપમાં વૃદ્ધાવસ્તામાં સામાજીક સુરક્ષા આપવાના ઉદ્દેશ્યથી 2019માં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ અસંગઠિક ક્ષેત્રના શ્રમિકોને 60 વર્ષની ઉંમર બાદ 3,000 રૂપિયાનું ન્યૂનતમ સુનિશ્ચિત માસિક પેન્શન આપવામાં આવશે.
25 નવેમ્બર સુધી લગભગ 46 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
શ્રમ મંત્રાલય અનુસાર 25 નવેમ્બર, 2021ની સ્થિતિ અનુસાર અસંગઠિત ક્ષેત્રના કુલ 45,77,295 કામદારોએ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
દર મહિને મળશે 3000 રૂપિયા
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના (PMSMY)માં તમે દરરોજ ફક્ત 2 રૂપિયાનું રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં 3000 રૂપિયા મંથલી પેન્શન મેળવી શકો છો. પેન્શનનો ફાયદો તમને 60 વર્ષની ઉંમર બાદ મળવાનું શરૂ થઈ જશે. આ યોજનામાં તમે વૃદ્ધાવસ્થાને સિક્યોક કરી શકો છો.
18 વર્ષથી કરી શકો છો રોકાણ
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ વ્યક્તિ પોતાની ઉંમરના હિસાબથી રોકાણ કરી શકે છે. જો તે 18 વર્ષનો છે તો દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરી શકે છે. 19 વર્ષની ઉંમરના લોકોએ દર મહિને 100 રૂપિયા અને 40 વર્ષની ઉંમરના લોકોએ દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. સરકારે એક વ્યવસ્થા એ પણ કરી છે જો પેન્શન સેવા શરૂ થયા પહેલા જ લાભાર્થીનું મૃત્યુ થઈ જાય છે તો તેમના પતિ/પત્નીને પેન્શનના 50 ટકા રકમ મળશે.
કોના માટે ફાયદાકારક છે આ યોજના?
આ યોજના એક લોકો માટે ફાયદા કારક છે જે મજૂર, ડ્રાઈવર, હાઉસ હેલ્પ, મોચી, દરજી, રિક્ષા ચાલક વગેરે જેવા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. સરકારી આંકડાઓ અનુસાર આજના સમયમાં દેશની અસંગઠિક ક્ષેત્રમાં લગભગ 42 કરોડ લોકો કોમ કરે છે.