સૂચનાના અધિકાર (RTI)થી ખુલાસો થયો છે કે ગત પાંચ નાણાકીય વર્ષો દરમિયાન વિલય અથવા શાખાબંધીની પ્રક્રિયાથી સાર્વજનિક ક્ષેત્રની 26 સરકારી બેન્કોની કુલ 3427 બેન્ક શાખાઓનું મૂળ અસ્તિત્વ પ્રભાવિત થયું છે. ખાસ વાત છે કે તેમાંથી 75 ટકા શાખાઓ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI) થી પ્રભાવિત થઇ છે.
સૂચનાના અધિકાર (RTI) થી ખુલાસો થયો
વર્ષ 2018-19માં 875 શાખાઓ બંધ કરી દેવાઇ
પાંચ વર્ષોમાં SBIની સર્વાધિક 2568 બેન્ક શાખાઓ પ્રભાવિત થઇ
આ જાણકારી આરટીઆઇ દ્વારા એવા સમયે સામે આવી છે, જ્યારે દેશની 10 સરકારી બેન્કોને મિલાવી તેમને ચાર મોટી બેન્કોમાં બદલવાની સરકારની નવી યોજના પર કામ શરૂ થઇ ચૂક્યું છે.
મધ્યપ્રદેશના નીમચ નિવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પાસેથી સૂચનાના અધિકાર હેઠળ મળેલી જાણકારી 'પીટીઆઇ-ભાષા' સાથે રવિવારે શેયર કરી. તેના મુજબ, દેશની 26 સરકારી બેન્કોની નાણાકીય વર્ષ 2014-15માં 90 શાખાઓ, 2015-16માં 126 શાખાઓ, 2016-17માં 253 શાખાઓ, 2017-18માં 2083 બેન્ક શાખાઓ અને 2018-19માં 875 શાખાઓ બંધ કરી દેવાઇ છે અથવા તો તેમનો બીજી બેન્ક શાખાઓમાં વિલય કરી દેવામાં આવ્યો છે.
RTI અરજી પર મળેલા જવાબ અનુસાર ગત પાંચ નાણાકીય વર્ષોમાં વિલય અથવા બંધ થવાથી એસબીઆઇની સર્વાધિક 2568 બેન્ક શાખાઓ પ્રભાવિત થઇ. આરટીઆઇ કાર્યકર્તાએ આરબીઆઇથી સરકારી બેન્કોની શાખાઓ બંધ કરવા અંગેનું કારણ પણ જાણવા માંગ્યું હતું. પરંતુ તેમને જવાબ ન મળ્યો. આ પ્રશ્ન પર કેન્દ્રીય બેન્કે આરટીઆઇ કાનૂનના સંબંધિત જોગવાઇનો હવાલો આપતા કહ્યું કે માંગવામાં આવેલી જાણકારી એક સૂચના નહીં, પરંતુ એક 'મંતવ્ય' છે.
આરબીઆઇએ જણાવ્યું કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સાથે ભારતીય મહિલા બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા અને સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરનો વિલય એક એપ્રિલ 2017થી અલમમાં આવ્યો હતો. આ ઉપરાંત બેન્ક ઓફ બરોડામાં વિજયા બેન્ક અને દેના બેન્કનો વિલય એક એપ્રિલ 2019થી અમલમાં આવ્યો હતો.
બીજી તરફ સાર્વજનિક બેન્કોના કર્મચારી સંગઠનોએ તેના વિલયને લઇને સરકારની નવી યોજનાનો વિરોધ તેજ કરી દીધો છે. અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ (AIBEA) ના મહાસચિવ સીએચ વેન્કટચેલમે પીટીઆઇ-ભાષાને જણાવ્યું કે, જો સરકાર દેશના 10 સરકારી બેન્કોને મિલાવીને ચાર મોટી બેન્ક બનાવે છે. તો આ બેન્કોની ઓછામાં ઓછી 7000 શાખાઓ પ્રભાવિત થઇ શકે છે. તેમા મોટા ભાગની શાખાઓ મોટા શહેરોની હશે.