દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.. કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર આવ્યા છે. દેશમાં કોરોનાના રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે.. આ મામલે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, છેલ્લા 13 દિવસમાં 10 લાખથી વધુ લોકો સાજા થયા છે.
દેશમાં કોરોનાના રિકવરી રેટમાં વધારો
કેન્દ્રીય આરોગ્ય સચિવે રિકવરી રેટ વધ્યાની આપી જાણકારી
"છેલ્લા 13 દિવસમાં 10 લાખથી વધુ લોકો થયા સાજા"
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 90.62 ટકાએ પહોંચ્યો છે.. સાથે જ તેમણે કહ્યું કે, દેશના 10 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 78 ટકા એક્ટિવ કેસ છે... જેમાં મહારાષ્ટ્રમાં 21.52 ટકા, કેરળમાં 15 ટકા, કર્ણાટકમાં 12.05 ટકા, પશ્ચિમ બંગાળમાં 5.94 ટકા, તમિલનાડુંમાં 4.68 ટકા, આંધ્રપ્રદેશમાં 4.60 ટકા, ઉત્તરપ્રદેશમાં 4.26 ટકા, દિલ્લીમાં 4.12 ટકા, છત્તીસગઢમાં 3.53 ટકા અને તેલંગાણામાં 2.6 ટકા એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, આજે દેશમાં ત્રણ મહિના પછી પહેલીવાર કોવિડ -19 ના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન, મૃતકની સંખ્યા પણ 500 કરતા ઓછી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ -19 ના નવા 36,470 કેસ નોંધાયા બાદ સંક્રમિત કેસ વધીને 79,46,429 થયા. તે જ સમયે, વધુ 488 લોકોના મૃત્યુ પછી, મૃત્યુની સંખ્યા વધીને 1,19,502 થઈ ગઈ.
અનલોક -5 માટેની નવી ગાઇડલાઇન જાહેર કરાઇ
કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનલોક -5 માટેની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ અંતર્ગત અનલોક -4 માં ફરીથી ખોલવા માટેની માર્ગદર્શિકા 30 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે આ પહેલા 30 સપ્ટેમ્બરે અનલોક -4 માટે રજૂ કરવામાં આવી હતી.
ગૃહ મંત્રાલયે કહ્યું કે કન્ટેનમેન્ટ ઝોનમાં આગામી 30 નવેમ્બર સુધી લોકડાઉન ચાલુ રહેશે. એક રાજ્યથી બીજા રાજ્યમાં વ્યક્તિઓ અને માલની આંતરરાજ્ય પરિવહન પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ માટે કોઈ અલગ પરમિશનની જરૂર રહેશે નહીં.
આ છૂટ શરતો સાથે અનલોક -4 માં આપવામાં આવી હતી
અનલોક -4 માં, થિયેટરો, શાળાઓ, રાજકીય મેળાવડા, ધાર્મિક કાર્યક્રમો અને અન્ય છૂટની શરતો સાથે જાહેરાત કરવામાં આવી હતી. સ્વિમિંગ પૂલ અગાઉ બંધ કરવામાં આવ્યા હતા અને હજી પણ બંધ રહેશે.