ભારતભૂમિને એક રહસ્યમયી ભૂમિ પણ કહેવામાં આવે છે. ત્યારે એક ભગવાન શિવનું મંદિર કે જેની મૂર્તિનું કદ દર વર્ષે વધતું રહે છે અને કલયુગ સાથે પણ તેનો સબંધ છે.
માતંગેશ્વર મંદિર મધ્ય પ્રદેશના ખજુરાહોમાં આવેલું છે
આ મંદિરની શિવલિંગનું કદ દર વર્ષે વધતું જાય છે
માન્યતા પ્રમાણે શિવલિંગ પન્ના રત્નનું રક્ષણ કરે છે
ભારતભૂમિને એક રહસ્યમયી ભૂમિ પણ કહેવામાં આવે છે. ખાસ કરીને અહીંના પ્રાચીન મંદિરોમાં એવા રહસ્યો જોવા મળે છે, જેને તમે દુનિયામાં ક્યાંય પણ ભાગ્યે જ જોઈ શકો છો. આજે અમે તમને ભારતના ભોલેનાથના એક એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ, જે ખૂબ જ અનોખું છે. અહી શિવલિંગનું કદ દર વર્ષે વધતું જાય છે. એવું કહેવામાં આવે છે કે તે વિશ્વનું એકમાત્ર એવું શિવલિંગ છે. આ વિચિત્ર મંદિરનું નામ માતંગેશ્વર છે, જે મધ્ય પ્રદેશના ખજુરાહોમાં આવેલું છે. ખજુરાહો એક પર્યટન સ્થળ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર કરવામાં આવી છે. અહીં તમને હિન્દુ અને જૈન મંદિરો જોવા મળે છે.
શિવલિંગની ઉંચાઈ 9 મીટર
અહી મંદિરમાં શિવલિંગની ઉંચાઈ 9 મીટર છે. અહી આવતા દરેક ભક્તો મૂર્તિને જોઇને આચર્યમાં પડી જાય છે. દર વર્ષે શિવલિંગના કદમાં એક ઇંચનો વધારો થઈ રહ્યો છે. મંદિરના પૂજારીઓ અને પર્યટન વિભાગના લોકો દર વર્ષે આ શિવલિંગને ટેપથી માપે છે. તેમનો દાવો છે કે આ શિવલિંગ જમીનથી જેટલું ઉપર છે તેટલું જ જમીનની નીચે પણ છે. એટલે કે તેનું કદ બંને તરફ સરખું રહે છે કે તે ધરતીની ઉપર હોય કે ધરતીની નીચે.
જીવંત શિવલિંગ પણ કહેવાય છે
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવને પન્ના રત્ન મળ્યો હતો, જે શિવે પાંડવોના ભાઈ યુધિષ્ઠિરને આપ્યો હતો. યુધિષ્ઠિરથી તે મણિ માતંગ ઋષિ પાસે પહોંચ્યો અને રાજા હર્ષવર્મનને આપ્યો. રાજા હર્ષવર્ધને સુરક્ષાના કારણોસર આ રત્નને જમીનમાં દાટી દીધું હતું. આ રત્નમાં અપાર શક્તિ હતી અને તેની સંભાળ લેનાર કોઈ નહોતું. જેના પરથી આ શિવલિંગ આ રત્નની ટોચ પર પ્રગટ થયું. માતંગ ઋષિના રત્નને કારણે જ તેનું નામ માતંગેશ્વર મહાદેવ પડ્યું. આ રત્નને કારણે આ શિવલિંગનું કદ દર વર્ષે વધે છે અને આ રત્નની અપાર શક્તિને કારણે જ આ શિવલિંગને જીવંત શિવલિંગ કહેવામાં આવે છે.
ખજુરાહોનું સૌથી ઉંચું મંદિર
લક્ષ્મણ મંદિરની નજીક આવેલું આ મંદિર 35 ફૂટના ચોરસ આકારનું છે. તેનું ગર્ભગૃહ પણ ચોરસ છે. પ્રવેશદ્વાર પૂર્વ તરફ છે. મંદિરની ટોચ બહુમાળી છે. માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 900 થી 925 ADનું છે. આ શિવલિંગને મૃત્યુંજય મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. માતંગેશ્વર મહાદેવ મંદિરને ખજુરાહોનું સૌથી ઉંચું મંદિર માનવામાં આવે છે.
કલયુગ સાથે જોડાયેલું છે આ મંદિર
અહીંના પૂજારીઓ અનુસાર 9મી સદીનું આ મંદિર કલયુગ સાથે જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનો ઉપરનો ભાગ સ્વર્ગ તરફ અને નીચેનો ભાગ પાતાળ લોક તરફ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે આ ભાગ પાતાળ લોક સુધી પહોંચે છે, ત્યારે કલયુગ સમાપ્ત થઈ જશે. આ મંદિરની માન્યતા દર વર્ષે વધી રહી છે અને ભક્તોની ભીડ પણ વધી રહી છે. આમ તો આ મંદિર આખું વર્ષ ભક્તોનું સ્વાગત કરે છે, પરંતુ શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોનો એક અલગ જ નજારો જોવા મળે છે.