જામનગરના કાલાવાડમાં ભારે વરસાદને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. જેના કારણે NDRFની ટીમ અહીયા રેસ્કયું કરવા માટે પહોચી છે.
કાલાવાડમાં NDRFની ટીમ રેસ્કયૂ માટે પહોચી
રાજકોટ જામનગર જવાનો રસ્તો બંધ
ભારે વરસાદથી લોકોના જીવ જોખમમાં મુકાયા
જામનગરના કાલાવાડમાં મેઘતાંડવને કારણે ભારે તારાજી સર્જાઈ છે. પરિસ્થિતી એટલી ગંભીર થઈ ગઈ છે. અહીયાના ગામમાં રહેતા લોકોને NDRFની ટીમ દ્વારા રેસક્યુ કરવામાં આવી રહ્યા છે. લોકો પોતાનો જીવ બચવવા માટે NDRFની ટીમની રાહ જોઈ રહ્યા છે. કાલાવાડ સહિતના અન્ય વિસ્તારોમાં બપોર પછી ફરી વરસાદ પડવાનું શરૂ થયું છે.
રાજકોટ જામનગરના રસ્તાઓ બંધ
રાજકોટથી જામનગર જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. મેટોડા નજીક રોડ પર પાણી ભરાઇ ગયા જેના કારણે વાહન વ્યવહાર પણ ઠફ થઈ ગયો છે. સાથેજ અટવાયેલા વાહનોનો પણ જમાવડો પણ અહીયા જોવા મળી રહ્યો. ભારે વરસાદને કારણે વર્ષો પછી જામનગરમાં આવી સ્થિતી સર્જાઈ છે.
નાઘુના ગામે પશુંઓ તણાયા
જિલ્લામાં આવેલ નાઘુના ગામમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું જેના કારણે પશુંઓ તણાઈ ગયા છે. નાઘુના ગામમાં પણ જનજીવન ખોરવાયું છે. બીજી તરફ ભારે વરસાદને કારણે જામનગરની નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતી જોવા મળી છે. જેના કારણે ભારે તારાજી સર્જાઈ છે.
સીદસર ગામ જળબંબાકાર
જામજોધપુર પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. સીદસર ગામનું ખ્યાતનામ ઉમિયાધામ પણ બેટમાં ફેરવાઇ ગયું છે. ઉમિયાસાગર ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદ પડતા જનજીવન પર અસર પડી છે.
આકાશી આફતે તારાજી સર્જી
સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે ભયંકર સ્થિતી સર્જાઈ છે. અહીયા અત્યાર સુધીમાં 20 થી 22 ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં આકાશી આફતે હવે તારાજી સર્જી છે. જામનગરમાં સવારથી પડી રહેલા ધોધમાર વરસાદે અનેક ગામને બેટમાં ફેરવાઈ ગયા છે. જેમા બાંગા ગામમાં તો ભારે વરસાદને કારણે હેલિકોપ્ટરથી લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું,.