તૈકતે વાવાઝોડાંની અસરને લઈને અમદાવાદ શહેરના વાતાવરણમાં ગઈ કાલથી જ બદલાવ જોવા મળી રહ્યો છે, અમદાવાદના વાતાવરણમાં આવેલા પટલાને લીધે શહેરનો નજારો બદલાઈ ગયો છે, વહેલી સવારથી શહેરના કેટલાક વિસ્તારમાં સામાન્યા વરસાદ પડ્યો છે, વાવાઝોડાની અસરને પગલે આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણ આવું જ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે 16થી18 મે સુધી તૌકતેની અસરને પગલે વરસાદ પણ વર્ષી શકે છે.
NDRF અને SDRFની ટીમો સજ્જ
હાલ તૌકતેના તોડાઈ રહેલા શંકટ વચ્ચે રાજ્યના દરિયાઈ કાંઠા વિસ્તારોને હાઈ એલર્ટ પર કરી દેવાયા છે, તો NDRF અને SDRFની ટીમોને સજ્જ કરી દેવાઈ છે, એરફોર્સના વિશેષ વિમાન મારફતે NDRFની ટીમો વડોદરા આવી પહોંચી છે જેમાં પંજાબ-ઓરિસ્સાછી 15 ટીમો, ઓરિસ્સાથી 13 ટીમો જ્યારે ભટીન્ડાથી 2 ટીમ વહેલી સવારે વડોદરા પહોંચી છે. આ તમામ ટીમોને વડોદરાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોકલાઈ છે.
જૂનાગઢના 47 ગામો હાઈ એર્લટ પર
તંત્ર તૌકતે વાવાઝોડાંને લઈને સજ્જ બન્યું છે, જૂનાગઢ જિલ્લાના 47 ગામોને હાઈ એર્લટ પર રાખી દેવામાં આવ્યા છે, જ્યારે વેરાવળ-રાજકોટ સુધી ટ્રેન વ્યવહાર પણ 17થી 18 મે સુધી બંધ કરી દેવામાં આવ્યો છે, સંભવિત વાવાઝાડાના ખતરાને જોતા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ અને ગીર સોમનાથને NDRFની બે ટીમો ફાળવી છે. તૌકતે વાવાઝાડાના સંકટને જોતા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વર્તાઈ રહી છે.
સુરત એરપોર્ટ પણ હાઈ એલર્ટ
બીજી તરફ હવામાન અસર જણાશે તો રાજકોટની તમામ ફ્લાઈટ સુરતમાં ડાયવર્ટ કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ સુરત એરપોર્ટ પણ હાઈ એલર્ટ પર છે રાજકોટ અને સુરતના એરપોર્ટના અધિકારીઓ વાવાઝોડાં પર સતત નજર રાખી રહ્યા છે, અને સૌરાષ્ટ્ર અને રાજકોટના વિસ્તારોમાં શક્ય એટલી તમામ મદદ પહોંચાડવાની પણ તૈયારીઓ કરાઈ રહી છે.
વેરાવાર બંદર પર બોટોનો ખડકલો
હાલ તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકે એવી સંભાવના વર્તાઈ રહી છે, જામનગર અને જૂનાગઢ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, વેરાવળ બંદર પર પણ 2 નંબર સિગ્નલ લગાવાયું છે. જેના પગલે વેરાવળ બંદર પર બોટોનો ખડકલો થયો છે. બંદરની મોટા ભાગની બોટ પર પરત ફરી છે. 70 જેટલી બોટ દરિયામાં હોય તેને પરત લાવવા તંત્ર કટિબદ્ધ બન્યું છે.જેના પગલે હજુ ઘણી બોટો બંદર તરફ આવી રહી છે.
કોસ્ટગાર્ડ એલર્ટ, માછીમારો પરત બોલાવાયા
ગીર સોમનાથ જિલ્લાનાં સમુદ્રી તટ પર આગામી એક કે બે દિવસમાં ત્રાટકનારા સંભવિત વાવાઝોડા તૌકતેનાં આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્રએ તમામ તાકાત કામે લગાવી છે. 24 ગામો અને 3 શહેરો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.વેરાવળની સમુદ્ર સીમામાં કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર મધ્યમાં જઇ માછીમારોને પરત ફરવા સંદેશ અપાયો છે.જામનગરમાં તૌકતે વાવાઝોડાને લઈને 22 ગામોને હાઈ એલર્ટ કરાઈ છે, બંદરો ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે, તેમજ જિલ્લાની 227 જેટલી બોટોને પરત બોલાવી લેવાઈ છે.
વહીવટી તંત્રે તમામ તાકાત કામે લગાવી દીધી
ઉપરાંત જિલ્લાના જુદા જુદા ગામના 61 સ્થળોએ આશ્રય સ્થાન તરીકે નક્કી કરવામાં આવ્યા છે, રાજ્યમાં તૌકતે વાવાઝોડાંનો સંભવિત ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે અમરેલી તંત્ર પણ સજ્જ બન્યું છે, જાફરાબાદમાં SDRFની 65 સભ્યોની એક ટીમે આવી પહોંચી છે, NDRFના 25 સભ્યોની ટીમ અમરેલી આવી પહોંચી છે. તૌકતે વાવાઝોડાંની સંભવિત અસરથી બચવા રાજ્ય સરકારે તેમજ જિલ્લા વહીવટી તંત્રે તમામ તાકાત કામે લગાવી દીધી છે..ત્યારે તૌકતે વાવાઝોડું દરિયામા જ ફંટાઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.