નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથોરિટી અને ગૃહમંત્રાલયે કોવિડ રોકથામ ઉપાયો માટે લાગૂ કરવામા આવેલા પ્રતિબંધ નિયમોને રદ કરી દીધા છે.
દેશમાં કોરોનાના કેસોમાં ખૂબ મોટો ઘટાડો
સામાન્ય જનતાને મળી મોટી રાહત
ભારત સરકાર કોરોના પ્રતિબંધો હટાવી દીધાં
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથોરિટી અને ગૃહમંત્રાલયે કોવિડ રોકથામ ઉપાયો માટે લાગૂ કરવામા આવેલા પ્રતિબંધ નિયમોને રદ કરી દીધા છે. સત્તાવારા આદેશમાં કહેવાયુ છે કે, ફેસ માસ્કના ઉપયોગ સહિત કોવિડ રોકથામ ઉપાયો પર સલાહ ચાલુ રહેશે. આ પહેલા સરકારે સ્થિતિમાં સુધાર અને મહામારીના નિવારણ માટે પોતાની તૈયારીની સમીક્ષા કરી હતી. જે બાદ એનડીએમએએ નિર્ણય લીધો કે, કોવિડ રોકથામ ઉપાયો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમની જોગવાઈઓ લાગૂ કરવાની વધારે જરૂરિયાત નથી.
Correction | Union Home Secretary writes to all Administrators, advises them to consider appropriately discontinuing issue of guidelines under Disaster Mgmt Act for Covid containment measures.
Advisories on Covid containment measures, including use of face masks will continue. pic.twitter.com/5kbCeKMzSe
ગૃહમંત્રાલય હવે કોરોનાને લઈને કોઈ આદેશ જાહેર નહીં કરે
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ગૃહમંત્રાલયના હાલના આદેશ નંબર 40-3/2020-ડીએમ-1 (એ) તારીખ 25 ફેબ્રુઆરી, 2022ને ખતમ કર્યા બાદ એવુ માનવામાં આવી રહ્યું છે કે, ગૃહમંત્રાલય આગળ કોઈ આદેશ જાહેર નહીં કરે. જો કે, સ્વાસ્થઅય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંક્રમણને ફેલાતા રોકવા માટે ઉપાયો અપનાવવાની સલાહ આપતા રહેશે. જેમાં ફેસ માસ્ક પહેરવુ અને હાથોની વારંવાર સફાઈ કરવાનું સામેલ છે. સરકારે પોતાના સત્તાવાર આદેશમાં કહ્યું છે કે, છેલ્લા 24 મહિનામાં, મહામારી મેનેજમેન્ટ માટે અલગ અલગ પાસાઓ, જેમાં સારવાર, દેખરેખ, કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ, સારવાર અને રસીકરણ, હોસ્પિટલ અને માળખાગત ઢાંચો, જાગૃતિ અને સામાન્ય જનતા માટે મહત્વપૂર્ણ સુવિધાઓ વિકસિત કરવાનું સામેલ છે.
રાજ્યો અને યુટીએ ઉઠાવ્યા આ પગલા
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ પોતાના તરફથી તમામ પગલા ઉઠાવ્યા છે. તેમણે તેના માટે પોતાની સિસ્ટ્મ વિકસિત કરી છે અને મહામારીના મેનેજમેન્ટ માટે પોતાની વિસ્તૃત યોજનાઓ લાગૂ કરી છે. તેની સાથે જ વિતેલા સાત અઠવાડીયા બાદથી કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં કુલ કેસલોડ ફક્ત 23.913 છે અને દૈનિક પોઝિટિવ રેટ ઘટીને 0.28 ટકા થઈ ગયો છે.
દેશમાં કેટલાય કેસો સામે આવ્યા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના નવા 1778 કેસો સામે આવ્યા છે, જ્યારે 2542 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 62 લોકોના મોત થયા છે. હવે દેશમાં કુલ કેસ 4,30,12,749 છે, જ્યારે એક્ટિવ કેસ 23, 087 કુલ રિકવરી 4,24,73,057, કુલ મોત 5,16,605 અને કુલ વેક્સિનેશન 1,81,89,15,234 થયું છે. ભારતમાં ગત રોજ 6,77,218 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા કાલ સુધીમાં કુલ 78,42,90,846 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.