દેશના લોકોમાં ચીન પ્રત્યે રોષની ભાવના હજી જાગૃત છે. સર્વેમાં દેશીની લગભગ 90 ટકા જનતાએ માન્યું કે તેઓ ચીની પ્રોડક્ટ્સનો બૉયકોટ કરવા તૈયાર છે, પરંતુ એક તૃતીયાંશ લોકો ગૈર ચીની ઉત્પાદો માટે વધુ રકમ ચૂકવવા માટે તૈયાર નથી. જ્યારે કે 67 ટકા લોકોએ તેના માટે હામી ભરી હતી.
દેશના લોકોમાં ચીન પ્રત્યે આકરો રોષ, પ્રોડક્ટ્સના બહિષ્કાર માટે તૈયાર છે લોકો
15 જુનની દગાબાજીથી ભરેલી ખૂની ઘટનાને નથી ભૂલ્યા ભારતીય પ્રજાજનો
સરકારની 59 એપ્સને પ્રતિબંધિત કરવાના નિર્ણયને 90 ટકા જનતાનું સમર્થન
સીમા પર ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે થયેલા એક સર્વેમાં આ વાત ખૂલીને સામે આવી છે કે દેશની જનતામાં હજી પણ ચીનની હરકત પ્રત્યેનો રોષ ઓછો થયો નથી. ચીની વસ્તુઓના ઉપયોગને લઈને થયેલા આ સર્વેમાં લગભગ 90% જેટલા લોકોએ સ્વીકાર્યું હતું કે તેઓ ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા માટે પૂર્ણપણે તૈયાર છે. આમ દેશના બહાદુર સપૂતોનું સરહદે લોહી વહાવ્યા બાદ પ્રજા ચીનને આ વખતે માફ કરવાના મૂડમાં બિલકુલ નથી.
શું છે સર્વે?
ગત 15 જૂનની રાત્રે ચીન સાથે થયેલા લોહિયાળ સંઘર્ષમાં ભારતના 20 બહાદુર સપૂતો શહીદ થઈ ગયા હતા. જે બાદ દેશના દરેક તબકાએથી ચીન અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુઓના બૉયકોટની આકરી માંગણીઓ સરકાર સમક્ષ ઉઠવા પામી હતી. ભારત સરકારે પણ લોકોનો મૂડ જોતાં ટિકટોક સહિતની 59 ચીની એપ્સ પર બેન લગાવ્યો હતો. આ ઘટનાના બે મહિના બાદ દેશમાં ચીન પ્રત્યે લોકોના દ્રષ્ટિકોણને જાણવા માટે ઈન્ડિયા ટુડે દ્વારા એક સર્વે કરાયો હતો. જેને મૂડ ઓફ ધ નેશન 2020નું નામ આપ્યું હતું.
કઇ રીતે થયો સર્વે?
ચીની પ્રોડક્ટ્સની ખરીદી બાબતે આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 12,021 લોકોને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા. ઈન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવેલ સર્વેમાં દેશના 19 રાજ્યોની 194 વિધાનસભા સીટો અને 97 સંસદીય સીટો સામેલ છે જેના વિસ્તારમાં આ સર્વે આહાથ ધરાયો હતો. જો રાજ્યોની અનુસાર જોઈએ તો આંધ્ર પ્રદેશ, ગુજરાત, આસામ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, દિલ્હી, હરિયાણા, કેરળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાના, ઓડીશા, પંજાબ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં આ સર્વે કરવામાં આવ્યો હતો.
વધુમાં શુ કહ્યું લોકોએ?
સર્વેમાં સામેલ 90 ટકા લોકોએ ચીની પ્રોડક્ટ્સના બહિષ્કારની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે સરકારે ચીની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મુકવો જોઈએ. લગભગ ૬૭ ટકા જેટલા લોકોએ ગીર ચીની પ્રોડકટ્સ માટે વધુ કિમત આપવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું જો કે બાકીના એક તૃતીયાંશ લોકોએ આના માટે ના પડી હતી. ભારત સરકારના ટિકટોક સહિતની 59 ચાઇનીઝ એપ્સને બંધ કરવાના નિર્ણયને પણ 90 ટકાથી વધુ લોકોનું સમર્થન મળ્યું હતું જયારે કે 7 ટકા લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
સરકાર દ્વારા લેવાયા છે આ નિર્ણયો
15 જૂનના ચીન સાથેના લોહિયાળ સંઘર્ષને મોદી સરકાર પણ ભૂલી નથી. ચીનને સબક શીખવાડવા માટે ભારત સરકારે તાત્કાલિક ડિજિટલ સ્ટ્રાઈક કરી હતી. જેમાં ભારતમાં બહુ લોકપ્રિય એવી ટીકટોક, કેમ સ્કેનર જેવી 59 ચીની એપ્સ પર પ્રતિબંધ ફરમાવી ડીશો હતો. દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની પ્રાઈવસી તેમજ અનધિકૃત ડેટા શેરીંગ ને મુદ્દો બનાવીને આ નિર્ણય લેવાયો હતો. જે બાદ વધુ અમુક ચાઇનીઝ એપ્સને બેન કરાઈ હતી. સાથે જ સરકારી કંપનીઓના ટેંડર્સમાંથી પણ ચાઇનીઝ કંપનીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. રેલ્વે, હાઈવે, ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર અને સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલના પ્રોજેક્ટ્સમાંથી પણ ચીની કંપનીઓને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે.