રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રોપદી મુર્મૂ ભારતના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે. ચૂંટણીમાં યશવંત સિન્હાને હરાવ્યા છે.
દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ
NDA તરફથી દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષ તરફથી યશવંત સિંહા હતા મેદાનમાં
આજે દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ રહ્યું છે, જેમાં દ્રોપદી મુર્મૂ જીતી ચૂક્યા છે. દેશભરમાં ભાજપ અને NDAના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ હવે પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. આ તરફ હવે પ્રધાનમંત્રી મોદી નવા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂની મુલાકાત લેશે. નવા રાષ્ટ્રપતિ તરીકે દ્રોપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેશે.
LIVE UPDATES:
રાહુલ ગાંધીએ મુર્મૂને પાઠવી શુભેચ્છા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું કે, ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પર દ્રોપદી મુર્મૂને અભિનંદન અને શુભેચ્છાઓ.
Congratulations and best wishes to Smt. Droupadi Murmu ji on being elected as the 15th President of India.
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ તેમને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, આદિવાસી સમાજની મહિલાને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું, દેશ માટે સ્વર્ણિમ ક્ષણ છે, મને વિશ્વાસ છે કે તમને વહીવટી અને સામાજિક કાર્યોની કાર્યક્ષમતા અને અનુભવથી રાષ્ટ્રને અપ્રતિમ લાભ મળશે.
आदरणीया श्रीमती द्रौपदी मुर्मू जी को देश के 15वें राष्ट्रपति के रूप में चुने जाने पर हार्दिक बधाई।
जनजातीय समाज की महिला का राष्ट्रपति पद तक पहुँचना,देश के लिए स्वर्णिम क्षण हैं,मुझे विश्वास है कि आपके प्रशासनिक व सामाजिक कार्यो की दक्षता व अनुभव से राष्ट्र को अप्रतिम लाभ मिलेगा।
દ્રોપદી મુર્મૂની જીત પર ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરી લખ્યું કે, એક અતિ સામાન્ય આદિવાસી પરિવારથી આવનારા NDA ઉમેદવાર શ્રીમતી દ્રોપદી મુર્મૂને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર આખા દેશ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે, તેમને શુભેચ્છા આપું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAના સાથીઓ, અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોના આદિવાસી ગૌરવ દ્રોપદી મુર્મૂના પક્ષમાં મતદાન કરવા પર આભાર વ્યક્ત કરું છું. અમિત શાહે લખ્યું કે, દ્રોપદી મુર્મૂ જે વિષમ પરિસ્થિતિઓમાંથી સંઘર્ષ કરતા આજે દેશના આ સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે તો આપણી લોકશાહીની અપાર શક્તિ દર્શાવે છે. આટલા સંઘર્ષ બાદ પણ તેમણે જે નિઃસ્વાર્થ ભાવથી ખુદને દેશ અને સમાજની સેવામાં સમર્પિત કર્યા તે તમામ માટે પ્રેરણાદાયી છે.
एक अति सामान्य जनजातीय परिवार से आने वाली NDA प्रत्याशी श्रीमती द्रौपदी मुर्मू जी का भारत का राष्ट्रपति चुना जाना पूरे देश के लिए अत्यंत गौरव का पल है, उन्हें बधाई देता हूँ।
यह विजय अन्त्योदय के संकल्प को चरितार्थ करने व जनजातीय समाज के सशक्तिकरण की दिशा में एक मील का पत्थर है।
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતનારા દ્રોપદી મુર્મૂને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા પર દ્રોપદી મુર્મૂને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.
Heartiest congratulations and best wishes to Smt. Droupadi Murmu on being elected as the 15th President of India.
— President of India (@rashtrapatibhvn) July 21, 2022
ભારતે ઇતિહાસ રચી દીધોઃ PM મોદી
દ્રોપદી મુર્મૂના રાષ્ટ્રપતિ બનવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, ભારતે ઇતિહાસ રચી દીધો. એવા સમયે જ્યારે 1.3 અબજ ભારતીયો આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે પૂર્વ ભારતના દૂરના ભાગમાં જન્મેલા આદિવાસી સમુદાયમાંથી આવતા ભારતના એક પુત્રી આપણા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ પરાક્રમ પર શ્રીમતી દ્રૌપદી મુર્મુ જીને અભિનંદન.
India scripts history. At a time when 1.3 billion Indians are marking Azadi Ka Amrit Mahotsav, a daughter of India hailing from a tribal community born in a remote part of eastern India has been elected our President!
Congratulations to Smt. Droupadi Murmu Ji on this feat.
વધુ એક ટ્વિટ કરતા તેમણે લખ્યું કે, દ્રૌપદી મુર્મુજી એક ઉત્કૃષ્ટ ધારાસભ્ય અને મંત્રી રહ્યા છે. ઝારખંડના રાજ્યપાલ તરીકે તેમનો કાર્યકાળ ઉત્તમ રહ્યો હતો. મને ખાતરી છે કે તે એક ઉત્કૃષ્ટ રાષ્ટ્રપતિ હશે જે આગળથી નેતૃત્વ કરશે અને ભારતની વિકાસ યાત્રાને મજબૂત બનાવશે.
Smt. Droupadi Murmu Ji has been an outstanding MLA and Minister. She had an excellent tenure as Jharkhand Governor. I am certain she will be an outstanding President who will lead from the front and strengthen India's development journey.
હું પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યોનો આભાર માનું છું કે જેમણે દ્રૌપદી મુર્મુજીની ઉમેદવારીને ટેકો આપ્યો છે. તેમનો રેકોર્ડ વિજય આપણા લોકતંત્ર માટે શુભ સંકેત છે.
I would like to thank all those MPs and MLAs across party lines who have supported the candidature of Smt. Droupadi Murmu Ji. Her record victory augurs well for our democracy.
પીએમ મોદી દિલ્હીમાં દ્રોપદી મુર્મૂના ઘરે પહોંચ્યા, સાથે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ પહોંચ્યા. બન્નેએ મુર્મૂને રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા પર શુભેચ્છા પાઠવી
#WATCH | Prime Minister Narendra Modi greets and congratulates #DroupadiMurmu on being elected as the new President of the country. BJP national president JP Nadda is also present.
થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રોપદી મુર્મૂને શુભેચ્છા આપવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચશે. દ્રોપદી મુર્મૂના ઘરે પહેલાથી જ જશ્નનો માહોલ છે. ત્યાં સ્ટેજ તૈયાર છે, રેડ કાર્પેટ પણ પાથરવામાં આવી છે.
Delhi | Prime Minister Narendra Modi greets and congratulates #DroupadiMurmu on being elected as the new President of the country. BJP national president JP Nadda is also present.
યશવંત સિન્હાએ દ્રોપદી મુર્મૂને જીત પર પાઠવી શુભેચ્છા. લખ્યું- હું તેમની જીત માટે શુભેચ્છા આપું છું. ભારતને આશા છે કે તેઓ વગર કોઈ ડર કે પક્ષપાતે બંધારણના સંરક્ષક તરીકે કામ કરશે.
राष्ट्रपति चुनाव 2022 में विजयी होने पर मैं श्रीमती द्रौपदी मुर्मू को बधाई देता हूँ।
देशवासियों को उम्मीद है कि 15वें राष्ट्रपति के रूप में वो बिना किसी भय या पक्षपात के संविधान की संरक्षक के रूप में जिम्मेदारी निभाएंगी। pic.twitter.com/tphTZe2QoM
રાજનાથ સિંહે પાઠવી શુભેચ્છા
રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા બદલ દ્રોપદી મુર્મૂને શુભેચ્છા. ગામ, ગરીબ અને વંચિતોના કલ્યાણ માટે સક્રીય રહ્યા. હવે તે વચ્ચેથી તેઓ સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચ્યા. આ ભારતીય લોકશાહીનું પ્રમાણ છે.
राष्ट्रपति चुनाव में प्रभावी जीत दर्ज करने के लिए श्रीमती द्रौपदी मुर्मू जी को बधाई। वे गाँव, गरीब, वंचितों के साथ-साथ झुग्गी-झोपड़ियों में भी लोक कल्याण के लिए सक्रिय रहीं हैं।आज वे उनके बीच से निकल कर सर्वोच्च संवैधानिक पद तक पहुँची हैं।यह भारतीय लोकतंत्र की ताक़त का प्रमाण है।
NDA Presidential candidate #DroupadiMurmu crosses the 50% mark of total valid votes at the end of the third round of counting; set to become the President of the country. pic.twitter.com/SSeAZkr7w1
દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકા મત મળી ચૂક્યા છે. ત્રીજા રાઉન્ડના મત ગણતરીની વાત કરીએ તો તેમાં કુલ મત 1333 હતા. જેની વેલ્યૂ 165664 હતી. જેમાંથી મુર્મૂને 812 મત મળ્યા. ત્યારે યશવંત સિન્હાને 521 મત મળ્યા. 104 ધારાસભ્યોએ દ્રોપદી મુર્મૂ માટે ક્રોસ વોટિંગ કર્યું.
3rd round | States covered are K'taka, Kerala, MP, Maharashtra, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Odisha & Punjab. In this round, total valid votes 1,333. Total value of valid votes is 1,65,664. Droupadi Murmu got 812 votes, Yashwant Sinha 521 votes: PC Mody, Secy Gen, RS pic.twitter.com/yrl2ldR4wP
બીજા રાઉન્ડમાં દ્રોપદી મુર્મૂને 809 મત મળ્યા છે. પહેલા રાઉન્ડના 540 મત ભેગા કરીને અત્યાર સુધીમાં દ્રોપદી મુર્મૂને કુલ 1349 મત મળ્યા છે. ત્યારે યશવંત સિન્હાને અત્યાર સુધીમાં 537 મત મળ્યા છે. જેમાં પહેલા રાઉન્ડમાં તેમને 208 અને બીજા રાઉન્ડમાં તેમને 329 મત મળ્યા.
હવે દ્રોપદી મુર્મૂને કુલ મતોની વેલ્યૂ 4.83 લાખ થઇ ગઈ છે. ત્યારે, યશવંત સિન્હાને કુલ મતોની વેલ્યૂ 1.89 લાખ છે.
After 2nd round, where ballot paper of first 10 states alphabetically counted - total valid votes 1138 & their total value 1,49,575. Out of this, Droupadi Murmu gets 809 votes valued at 1,05,299 & Yashwant Sinha gets 329 votes valued at 44,276: PC Mody, Secretary Gen, Rajya Sabha pic.twitter.com/5y1ZPwxWhs
Droupadi Murmu has secured 540 votes with a value of 3,78,000 & Yashwant Sinha has secured 208 votes with a value of 1,45,600. A total of 15 votes were invalid. These are figures for Parliament (votes), please wait for next announcement: PC Mody, Secretary General, Rajya Sabha pic.twitter.com/ka0PvmOzpX
NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની તરફેણમાં બહુમતિમાં મત પડ્યા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. જેને લઈ હવે નવા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેશે.
1 લાખ 35 હજાર ગામમાં થશે મુર્મૂના જીતની ઉજવણી
દ્રોપદી મુર્મૂની જીત લગભગ નક્કી છે. એટલા માટે ભાજપે જશ્નની તૈયારી પૂર્ણ કરી લીધી છે. 1 લાખ 35 હજાર એવા ગામ છે જ્યાં ઉજવણી કરવામાં આવશે. અહીં આદિવાસી લોકોની સંખ્યા વધુ છે. દિલ્હીમાં ભાજપનો રોડશો પણ યોજાશે. સાંસદોને પણ આ કામ સોંપવામાં આવ્યું છે કે તેઓ પોતાના વિસ્તારમાં આ વાત પહોંચાડે કે મોદી સરકારે આદિવાસી ચેહરાને સર્વોચ્ચ પદ પર પહોંચાડ્યો છે.
નવા રાષ્ટ્રપતિ માટે ડિનરનું આયોજન કરશે કોવિંદ
24 જુલાઈએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રીમંડળ માટે ડિનરનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7 લાગ્યે આ ડિનર થશે.
કોણ છે દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ?
દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મૂર્મુની ઐતિહાસિક જીત થઈ છે. દ્રૌપદી મૂર્મુ દેશના પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે. તેઓ દેશના પહેલા આદિવાસી મહિલા રાજ્યપાલ તરીકે ઝારખંડમાં નિયુક્ત થયા હતા. આ સાથે 1997માં ઓડિસાના રાયરંગપુરના કોર્પોરેટર બન્યા અને ઓડિસા સરકારમાં બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. એક વખત ઓડિસા સરકારમાં રાજ્યમંત્રી પણ રહ્યા અને 2006થી 2009માં ઓડિસામાં ભાજપના ST મોરચાના અધ્યક્ષ રહ્યા હતા. આ સાથે 2007માં શ્રેષ્ઠ ધારાસભ્ય માટેનો નીલકંઢ પુરસ્કાર મળ્યો હતો. આ સાથે 2013માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ST મોરચાના સભ્ય હતા.
રિટર્નિંગ ઓફિસ મતોની ચકાસણી કરી
ધારાસભ્યોના મતપત્ર અને પછી સાંસદોના મતપત્રની છટણી કરી હતી. આ પછી રિટર્નિંગ ઓફિસર, રાજ્યસભાના મહાસચિવ પીસી મોદી મતોની ચકાસણી કરી હતી. નિયમ મુજબ સાંસદોના બેલેટ પેપરમાં લીલા કલરની પેનથી અને ધારાસભ્યોના બેલેટ પેપરમાં ગુલાબી કલરની પેનથી પ્રાથમિકતા લખવામાં આવી હતી.. મતગણતરી દરમિયાન મુર્મૂ અને સિંહાના નામની એક-એક ટ્રે રૂમમાં રાખવામાં આવી. મુર્મૂ માટે પ્રાયોરિટી બેલેટ પેપર તેમની ટ્રેમાં રાખવામાં આવ્યા અને સિંહા માટે પ્રાધાન્યતા બેલેટ પેપર તેમની ટ્રેમાં રાખવામાં આવ્યા હતા. વર્ગીકરણ પૂર્ણ થયા બાદ મત ગણતરી શરૂ કરાઇ હતી.
પીસી મોદી પહેલા સંસદ ભવનનાં રૂમ નંબર 63માં સાંસદોના તમામ મતોની ગણતરી કર્યા બાદ ચૂંટણીના વલણો વિશે માહિતી આપી હતી. ત્યારબાદ 10 રાજ્યોના મતોને મૂળાક્ષરોના ક્રમમાં ગણ્યા બાદ ફરીથી માહિતી આપી હતી. 20 રાજ્યોમાં મત ગણતરી બાદ ફરી એકવાર ચૂંટણીના વલણો વિશે માહિતી આપી અને ત્યારબાદ કુલ મતોની ગણતરી બાદ પરિણામ જાહેર કરાયું છે.
16 સાંસદો મતદાન કરી શક્યા ન હતા
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 18 જુલાઈના રોજ થયેલા મતદાનમાં 99 ટકાથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. ભાજપના સાંસદ સની દેઓલ અને સંજય ધોત્રે સહિત આઠ સાંસદો પોતાનો મત આપી શક્યા ન હતા. સની દેઓલ સારવાર માટે વિદેશ ગયો છે, જ્યારે ધોત્રે ICUમાં છે. ભાજપ અને શિવસેનાના બે-બે સાંસદો અને બીએસપી, કોંગ્રેસ, એસપી અને એઆઈએમઆઈએમના એક-એક સાંસદ પણ મતદાનથી ચૂકી ગયા હતા.
ચૂંટણી પંચે કહ્યું કે છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક, એમપી, મણિપુર, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 100% મતદાન થયું હતું. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા પછી, રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ જણાવ્યું હતું કે સંસદ ભવનમાં કુલ મતદાન 99.18% હતું.