લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી NDAની રેકોર્જ જીત પછી નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ ક્રમમાં NDA સંસદીય દળની બેઠક આજે સાંજે 5 વાગે બોલાવવામાં આવી છે.
આ બેઠકમાં ગઠબંધનના તમામ નવનિર્વાચિત સાસંદ શામેલ હશે. કહેવાઇ રહ્યુ છે કે, આ દરમિયાન ઔપચારૂકિ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ નેતા તરીકે પસંદ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ ભાજપ સંસદીય દળની બેઠક પણ આજે જ થશે.
તમને જણાવી દઇએ કે, ભાજપ એકલાએ 303 સીટ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તો બીજી તરફ UPAના ખાતામાં 82 અને મહાગઢબંધનને માત્ર 15 સીટ મળી છે. BJP સહિત બાકી સહયોગી દળોમાં ઉજવણીનો માહોલ છે અને આ સાથે જ કેબિનેટમાં જગ્યાને લઇને પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રશ્ચિમ બંગાળના ચાર સાસંદોને કેબિનેટમાં જગ્યા બની શકે છે. વાસ્વતમાં ચૂંટણી જીત પછી હવે ભાજપની નજર 2021માં થનારી વિધાનસભા ચૂંટણી પર છે.
અટકળો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 મેએ ફરીથી શપથ લેશે. દરમિયાન શુક્રવારે સાંજે કેન્દ્રીય કેબિનેટે 16મી લોકસભા ભંગ કરવાની દરખાસ્ત પાસ કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામા સાથે આ ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવામાં આવી ચૂકી છે. 17મી લોકસભાની રચના 3 જૂન પહેલાં કરવાની છે. ચૂંટણીપંચ ટૂંક સમયમાં જ નવા સાંસદોની યાદી નોટિફાઈ કરી રાષ્ટ્રપતિને સોંપશે.