Team VTV06:06 PM, 25 May 19
| Updated: 06:20 PM, 25 May 19
લોકસભા ચૂંટણીમાં એનડીએને ઐતિહાસિક બહુમતી મળી છે. ફરી એક વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લેશે. મળતી માહિતી અનુસાર, નરેન્દ્ર મોદી 30 મેના રોજ શપથ લઇ શકે છે. શપથ પહેલા પીએમ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે, પરંતુ તે પહેલા તેઓ ગુજરાત આવશે. અહીં મોદી મા હિરાબાના આશીર્વાદ પણ લેશે.
આ પહેલા શુક્રવારે પીએમ મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને પોતાનું રાજીનામુ સોંપ્યું હતું. આ રાજીનામાને રાષ્ટ્રપતિ કોવિંદે મંજૂર કરી દીધું અને લોકસભાને ભંગ કરી. રાષ્ટ્રપતિએ 16મી લોકસભા ભંગ કરી દીધી છે. આજે એનડીએની સરકાર બનાવવાનું રામનાથ કોવિંદ આમંત્રણ આપી શકે છે.
આજે દિલ્હી ખાતે એનડીએની સંસદીય બોર્ડની બેઠક યોજાઈ છે. આ સંસદીય બોર્ડની બેઠકમાં નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સીએમ રૂપાણી સહિતના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. આ બેઠકમાં ભાજપના નવ નિયુક્ત સંસદ સભ્યો પણ હાજર રહ્યા છે.
નરેન્દ્ર મોદી NDAના સંસદીય દળના નેતા
ભાજપ સંસદીય દળના નેતા પસંદ કરાયા બાદ નરેન્દ્ર મોદીને એનડીએના સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શિરોમણિ અકાળી દળના નેતા પ્રકાશ સિંહ બાદલે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો. તેમના નામનું સમર્થન જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમાર, એલજેપી અધ્યક્ષ રામવિલાસ પાસવાન સહિત એનડીએના સાથીઓએ નરેન્દ્ર મોદીના નામનું સમર્થન કર્યું.
SAD's Parkash Singh Badal proposes Narendra Modi's name as the leader of NDA Parliamentary Party. JDU Chief Nitish Kumar and Shiv Sena Chief Uddhav Thackeray endorse the proposal. pic.twitter.com/2eGPHh21qD
અહીં ભાજપના દિગ્ગજ નેતાઓએ પ્રધાનમંત્રી પદ તરીકે નરેન્દ્ર મોદીને પસંદગીનો પ્રસ્તાવ કર્યો. સાથે તમામ સાથી પક્ષોએ ફરી પ્રધાનમંત્રી પદ માટે સર્વ સંમતિથી સમર્થન આપ્યું.
Delhi: Senior BJP leaders LK Advani and Murli Manohar Joshi are also present at the NDA parliamentary meeting. pic.twitter.com/Vyjr28tosH
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો. આ પ્રસ્તાવનું રાજનાથ સિંહ અને નિતિન ગડકરીએ સમર્થન કર્યું. ત્યારે નરેન્દ્ર મોદીને ભાજપના સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે.