કેરળના વરિષ્ઠ ધારાસભ્ય અને એનડીએના સહયોગી પીસી જ્યોર્જએ રવિવારે દાવો કર્યો છે છે કે રાજ્યમાં કોંગ્રેસના છ સાંસદ અને ત્રણ ધારાસભ્ય ભાજપના કેન્દ્રીય નેતૃત્વના સંપર્કમાં છે અને તેઓ ક્યારેય પણ ભાજપમાં જોડાઇ શકે છે.
જ્યારે બીજી તરફ કોંગ્રેસના પૂંજર વિસ્તારના ધારાસભ્યએ આ દાવાનો ફગાવી દીધો છે અને કહ્યું છે કે પીસી જ્યોર્જ માત્ર મીડિયાનું ધ્યાન તેમના તરફ આકર્ષવા માટે આવું નિવેદન આપી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પીસી જ્યોર્જની કેરલ જનપક્ષમ સેક્યુલર પાર્ટી હાલમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો ભાગ બની છે.
પીસી જ્યોર્જે એવા સમયે દાવો કર્યો છે કે જ્યારે કર્ણાટક અને ગોવામાં ધારાસભ્યો પક્ષમાંથી રાજીનામું આપતાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પીસી જ્યોર્જના આ નિવેદન રાજકીય વિશ્લેષકોમાં અટકળો તેજ જોવા મળી રહી છે કે શું કર્ણાટક બાદ 'ભાજપ' અથવા તેમના સહયોગી હવે કેરળના રાજકારણમાં ગરમાવો લાવશે?
જો કે હાલમાં આ ચર્ચા માત્ર અટકળ સાબિત થઇ રહી છે, કારણ કે કર્ણાટકમાં પણ રાજકીય ઉથલપાથલ વચ્ચે નેતાઓ દાવો કરવામાં પાછળ નથી હટી રહ્યાં. આમ પોતના પક્ષની પ્રદેશ કમિટિની બેઠક બાદ પીસી જ્યોર્જે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે મને ખબર મળી છે કે રાજ્યમાં કોંગ્રેસના છ સાંસદ અને ત્રણ ધારાસભ્ય ભાજપના કેન્દ્રીય નેતૃત્વના સંપર્કમાં છે. જો કે જ્યોર્જના આ દાવાને કોંગ્રેસે ફગાવી દીધો છે.