મોદી સરકાર સંસદના આ સત્રમાં ટ્રિપલ તલાક બિલ ( Triple Talaq Bill) પાસ કરવા ઇચ્છે છે. સરકાર ઇચ્છે છે કે લોકસભામાં પાસ થઇ ચૂકેલા આ બિલને રાજ્યસભામાં પણ પાસ કરવામાં આવે. રાજ્યસભામાં જોકે, સરકાર પાસે બહુમત નથી. પરંતુ તેલૂગૂ દેશમ પાર્ટી (TDP) ના ચાર સાંસદોને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ આ આંકડા બદલાઇ જાય છે. સૂત્રોનું માનીએ તો, આવતા સોમવારે ત્રણ તલાક બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
આપને જણાવી કે રાજ્યસભામાં અત્યારે 236 કી હાઉસ છે અને બહુમતનો આંકડો 119 છે. ભાજપના 71 સભ્યો, જેડીયૂના 6, અકાલી દળના 3, શિવસેનાના 3 અને આરપીઆઇના 1 સભ્ય સિવાય એનડીએના ત્રણ નોમિનેટેડ સભ્ય, 6 માંથી 4 અપક્ષ સભ્યો બીજેપીને સમર્થન કરે છે. આ અપક્ષ સભ્યોમાંથી એક અમર સિંહ પણ છે જે ભાજપને સમર્થન આપે છે. આ ઉપરાંત એઆઇએડીએમકે પણ એનડીએનો ભાગ છે. જેના 13 સભ્યો બીજેપી સાથે છે. આ બધા આંકડાઓને એક કરતા આંકડો 104 સુધી પહોંચે છે.
હવે બચે છે નાની પાર્ટીઓ. તેની સંખ્યા ત્રણ છે જે BJPને પોતાનું સમર્થન આપી રહી છે. આ પાર્ટીઓમાં બોડોલેન્ડ, નાગાલેન્ડ અને સિક્કિમની પાર્ટી સામેલ છે. આ ઉપરાંત ટીડીપી (TDP) થી સામેલ થયેલા ચાર સાંસદોને ભેગા કરવામાં આવે તો બીજેપીની સંખ્યા 111 સુધી પહોંચી જાય છે. બાદ બીજેપીને રાજ્યસભામાં બહુમત માટે 8 સાંસદોની જરૂર રહેશે. અને તે પૂર્ણ થશે વાઇએસઆર કોંગ્રેસ અને ટીઆરએસના સાંસદોને મિલાવીને. ગૃહમાં વાઇએસઆરના 2 અને ટીઆરએસના 6 સાંસદ છે.
આપને જણાવી કે, વાઇએસઆર કોંગ્રેસ અને કેસીઆરની પાર્ટી ટીઆરએસ બીજેપીને સમર્થન કરે છે. જે બાદ બીજેપી એ જાદુઇ આંકડા સુધી પહોંચી જાય છે. જ્યાં તેને રાજ્યસભામાં બહુમત મળી જાય છે.
જોકે, આ ઉપરાંત કેટલીક પાર્ટીઓ એવી છે જે બીજેપીને સમર્થન કરતી રહી છે. તેમા નવીન પટનાયકની પાર્ટી બીજૂ જનતા દળના 5 સાંસદ છે. જોકે, ત્રણ તલાક બિલ પર તે સરકાર સાથે નથી. બીજી તરફ સરકારની સહયોગી પાર્ટી જેડીયૂ પણ આ બિલ પર સરકાર સાથે નથી. આ તમામ વચ્ચે સૌથી જરૂરી એ છે કે, આ તમામ આંકડા એ સમયે મહત્વહીન બની જાય છે જ્યારે વોટિંગ દરમિયાન રાજ્યસભામાં જેટલા સભ્યો છે તેના આધારે બહુમત નક્કી કરવામાં આવે છે. હાલ, ટીડીપીના 4 સાંસદોના આવ્યા બાદ બીજેપી રાજ્યસભામાં પણ બહુમતમાં છે.