પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે ભાજપ પર કટાક્ષ કર્યો. મમતાએ કહ્યું કે ''ભાજપ માત્ર ઈતિહાસ નામ-નોટ અને બંધારણ બદલનારી પાર્ટી છે. તેઓ ગેમ ચેન્જર નથી. હાલના સમયમાં દેશ ખતરામાં છે. આ ખતરાથી દેશને બચાવવા માટે તૃણુમૂળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.''
તેમણે કહ્યુ કે ''ભાજપ પોતાને એવી રીતે રજૂ કરે છે કે જેમ તેઓએ જ દેશને જન્મ આપ્યો હોય. પરંતુ ભાજપ સ્વતંત્રતાના સમયમાં ક્યાંય હતી નહીં."
2019 ચૂંટણી પછી સ્ટેચ્યૂ બનાવશે ભાજપ:
મમતાએ આરોપ લગાવ્યો કે હાલની સરકાર સરકારી સંસ્થાનોને ખરાબ કરી રહી છે. તે RBI અને CBIને કામ કરવાની રીતે બદલવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપ વોટ બેંકની રાજનીતિને કારણે પ્રતિમાઓ બનાવવામાં લાગી છે. પરંતુ 2019 લોકસભા ચૂંટણી પછી તેઓ પોતે જ મૂર્તિ બની જશે.
જાન્યુઆરીમાં રેલી કરશે મમતા બેનર્જી:
મમતા બેનર્જીએ આગળ કહ્યુ કે ''માત્ર ભાજપ જ NRCમાં રૂચિ રાખે છે પરંતુ તૃણુમૂળ રાજ્યમાં લાગૂ નહી થવા દે. અમે ભાજપને વિરુદ્ઘ તમામ પાર્ટીઓને ભેગી કરીને એક રેલી કરીશુ. જેનું સ્લોગન ટટભાજપ હટાઓ દેશ બચાવો'' હશે.