ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 21મી ફેબૃઆરીના રોજ ટેસ્ટ મેચ સીરીઝની શરૂઆત થવા જઈ રહી છે. વેલિંગટનમાં થનાર આ મેચ પહેલા કેપ્ટન કોહલી અને ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમને હરાવવા માટે દિગ્ગજ બોલર્સને મેદાનમાં ઉતારવાની જરૂર છે ત્યારે રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનમાંથી કોઈ એક સ્પિનરને ટીમમાં સામેલ કરવામાં આવશે. ભારતીય ટીમ અને કેપ્ટન કોહલી માટે આ નિર્ણય કપરો બની રહેશે કે બેમાંથી કયા ખેલાડીને પસંદ કરવો?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાશે ટેસ્ટ સીરીઝ
જાડેજા અને અશ્વિનમાંથી કોઈ એક સ્પિનરને ટીમમાં મળશે સ્થાન
વિરાટ કોહલી લેશે અંતિમ નિર્ણય
અશ્વિન અને જાડેજાનું કેવું છે પ્રદર્શન
નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડ સામે અશ્વિને 5 ટેસ્ટ મેચ રમી છે જેમાં 45 વિકેટ લીધી હતી જયારે જાડેજાએ 5 મેચમાં 17 બેટ્સમેનને પવેલિયન ભેગા કર્યા હતા. રવિચંદ્રન અશ્વિનના પ્રદર્શનની વાત કરવામાં આવે તો એશિયા કપની બહાર અશ્વિનનું પ્રદર્શન જાડેજાથી વધુ સારું છે. 2013થી એશિયા કપની બહાર અશ્વિને 17 ટેસ્ટ મેચ રમી છે જેમાં 56 વિકેટો ઝડપી હતી.
જાડેજાના પ્રદર્શનની વાત કરવામાં આવે તો એશિયા કપને છોડી દઈએ તો વર્ષ 2013થી 13 મેચમાં બોલિંગ કરી છે. જેમાં 41 વિકેટ ઝડપી હતી. જોકે માત્ર આ જ આધાર પર જાડેજાની જગ્યાએ અશ્વિનને સામેલ કરી દેવામાં આવે તે જરૂરી નથી.
કોહલી માટે માથાનો દુખાવો બનશે આ નિર્ણય
રવીન્દ્ર જાડેજા સતત ટીમ ઈન્ડિયાથી જોડાયેલા છે. તેમણે ન્યૂઝીલેન્ડમાં ટી 20 અને વન ડે મેચ રમી. જાડેજાનું પ્રદર્શન વધુને વધુ સારું થઇ રહ્યું છે એવામાં વિરાટ કોહલી જાડેજાને ટીમમાં મોકો મળી શકે છે. વિરાટ કોહલી એવી પરિસ્થિતિમાં મુકાયા છે કે બેમાંથી ગમે એને સામેલ કરે તેમના નિર્ણય પર સવાલો ઉઠશે. બંને ખેલાડી ભારતમાં પણ ખૂબ લોકપ્રિય છે એવામાં આ બંને દિગ્ગજ બોલરમાંથી કોના પર પસંદ ઉતારવી એ નિર્ણય કોહલીએ સમજી વિચારીને લેવો પડશે.