દિવંગત સીએમ એનડી તિવારીનાં પુત્ર રોહિત શેખરની હત્યા મામલાની તપાસ કરી રહેલ પોલીસનાં હવાલાથી અનેક ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. દિલ્હી પોલીસની અપરાધિક શાખાએ બુધવારનાં રોજ રોહિતની પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી લીધી છે. અપૂર્વાએ પોતાનો ગુનો કબૂલ કરતા જણાવ્યું કે, તેઓએ રોહિતની હત્યાને ક્યારે, કેમ અને કેવી રીતે અંજામ આપ્યો. જાણો વધુ માહિતી...
પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે સોમવારનાં (15 એપ્રિલ)નાં રોજ ઉત્તરાખંડથી પરત આવતી વેળાએ પોતાનાં સંબંધની ભાભી કુમકુમની સાથે દારૂ પીધો હતો. અપૂર્વાને કુમકુમ અને રોહિતનાં સંબંધો પર શરૂઆતથી જ શંકા હતી. આનાં પર જ્યારે રાત્રીનાં 9:30 કલાકે ઘરે પહોંચ્યાં તો અપૂર્વાએ તેને પૂછ્યું કે તું ક્યાં હતો અને કોની સાથે દારૂ પીધો? ત્યારે રોહિતે જવાબ આપ્યો કે તે કુમકુમની સાથે હતો, આનાં પર અપૂર્વાને ખૂબ ગુસ્સો આવી ગયો.
આ વાતને લઇને રોહિત અને અપૂર્વામાં ખૂબ ઝઘડો થઇ ગયો. પછી રાતમાં અંદાજે એક કલાકે અપૂર્વા રોહિતનાં રૂમમાં ગઇ અને તેની સાથે ખાસ ચર્ચા કરી. બંનેની વચ્ચે એટલી ચર્ચા થઇ કે અપૂર્વાએ એક હાથથી રોહિતનું ગળું દબાવ્યું અને એક હાથથી તેનું મોં દબાવ્યું. એવામાં જ રોહિતનું મોત થઇ ગયું.
આ જ રીતે પોલીસનાં દાવાંઓથી એ સ્પષ્ટ થઇ જાય છે કે રોહિતની હત્યા જાગતી વેળાએ કરવામાં આવી હતી અને તે પણ તકિયાથી મોં દબાવીને નહીં પરંતુ હાથથી ગળું અને મોં દબાવીને કરવામાં આવી. આ મામલામાં એક ખુલાસો વધુ થયો કે રોહિતનાં મોબાઇલથી 15 અને 16 એપ્રિલની રાત્રીએ અંદાજે 4:58 કલાકે કુમકુમનાં મોબાઇલ પર ફોન કરવામાં આવ્યો હતો. જો કે, કુમકુમે ફોન ન હોતો ઉઠાવ્યો.