સોમવારે ગૃહરાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ એનસીટી એક્ટ બીલ રજૂ કર્યું હતું. આ બીલમાં ઉપરાજ્યપાલને વધારાની સત્તાઓ આપવામાં આવી છે જેની સામે કેજરીવાલે વાંધો ઉઠાવ્યો છે.
એનસીટી બીલની આ ચાર જોગવાઈ પર કેજરીવાલને વાંધો
- કેન્દ્ર સરકારના આ બીલમાં ઉપરાજ્યપાલને વધારાની શક્તિઓ અપાઈ છે.
-વિધાનસભાથી અલગ કેટલાક મામલામાં દિલ્હી સરકાર માટે ઉપરાજ્યપાલની મંજૂરી ફરજિયાત બનાવાઈ છે.
- દિલ્હી સરકાર માટે કાર્યપાલિકા સંબંધિત નિર્ણયો પર ઉપરાજ્યપાલ પાસેથી 15 દિવસ પહેલા અને વહિવટીય નિર્ણયો પર 7 દિવસ પહેલા મંજૂરી લેવી અનિવાર્ય કરાઈ છે.
દિલ્હીમાં સરકારનો મતલબ એલજી હશે-કેજરીવાલ
સંસદમાં આ બીલ રજૂ થયા બાદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે આ બીલ કહે છે કે દિલ્હીમાં સરકારનો મતલબ એલજી (ઉપરાજ્યપાલ) હશે. તો ચૂંટાયેલી સરકાર શું કરશે. તમામ ફાઈલ્સ એલજી પાસે જશે. આ સુપ્રીમ કોર્ટના 4 જુલાઈ 2018 ના નિર્ણયની વિરૃદ્ધ છે. ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે જો બધી જ સત્તાઓ એલજી પાસે રહેશે તો દિલ્હી સરકારનો શું મતબલ છે.
The Bill says-
1. For Delhi, “Govt” will mean LG
Then what will elected govt do?
2. All files will go to LG
This is against 4.7.18 Constitution Bench judgement which said that files will not be sent to LG, elected govt will take all decisions and send copy of decision to LG https://t.co/beY4SDOTYI