શરદ પવાર અને અમિત શાહ વચ્ચેની કહેવાતી મુલાકાત પર વધી રહેલા સસ્પેન્સની વચ્ચે એનસીપીએ આ વાતને અફવા ગણાવી છે.
એનસીપી નેતા નવાબ મલિકનો ખુલાસો
પવાર-શાહ વચ્ચે કોઈ મુલાકાત થઈ નથી
ભાજપે ગૂંચવડો પેદા કરવા અફવા ફેલાવી-મલિકનો આરોપ
શું શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ અમદાવાદ કે ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતા ? આ સમાચાર વાયુવેગે પ્રસરતા એનસીપીએ ખુલાસો આપવો પડ્યો છે. એનસીપીએ પવાર-શાહ વચ્ચેની કહેવાતી મુલાકાતને અફવા સિવાય બીજું કંઈ ન હોવાનું જણાવ્યું છે.
પવારે અમિત શાહને મળવાનું પણ કોઈ કારણ નથી-નવાબ મલિક
મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને અમિત શાહ વચ્ચે કોઈ મુલાકાત થઈ નથી. તેમણે એવો આક્ષેપ કર્યો કે આ તો ગૂંચવડો પેદા કરવાની ભાજપની કોઈ ચાલ લાગે છે. અમિત શાહ અને શરદ પવાર મળ્યાં તે અફવા છે અને ગૂંચવડો પેદા કરવા માટે જાણીજોઈને કેટલાક લોકો દ્વારા ફેલાવાઈ છે. ભાજપનું કામ જ આ છે. તેમની વચ્ચે આવી કોઈ મિટિંગ થઈ નથી. પવાર અને પ્રફુલ્લ પટેલ જયપુરથી સીધા મુંબઈ આવ્યાં હતા. પવારે અમિત શાહને મળવાનું પણ કોઈ કારણ નથી.
A newspaper in Gujarat published a piece of news that (Sharad) Pawar Sahib and Praful Patel met Amit Shah. For the last two days, rumours are being spread on Twitter. No such meeting took place: Maharashtra Minister and NCP leader Nawab Malik https://t.co/Q6xPy2zOMkpic.twitter.com/HZKYvrDIsU
બધું જાહેર ન કરી શકાય, અમિત શાહની આ ટીપ્પણી બાદ ખબરને પગ મળ્યાં
નવાબ મલિકે ગુપ્ત મુલાકાતની કથિત ખબર પર કહ્યું કે ગુજરાતના એક અખબારે સમાચાર છાપ્યા છે કે પવાર સાહેબ અને પ્રફુલ્લ પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. છેલ્લા બે દિવસથી ટ્વિટર પર અફવા ઉડી રહી છે. આવી કોઈ મુલાકાત થઈ નથી. કહેવાતી મુલાકાતની ખબરને ત્યારે પગ મળ્યાં કે અમિત શાહે પવાર અને પ્રફુલ્લ પટેલ સાથેની મિટિંગના સવાલ પર કહ્યું કે બધુ કંઈ જાહેર ન કરી શકાય.
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિના નિવાસે થઈ હતી મુલાકાત!
નોંધનીય છે કે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ અમદાવાદ આવ્યા હતા અને તે અમદાવાદથી અમુક કલાક રોકાયા બાદ જતાં પણ રહ્યા તે બાદ આ વાત સામે આવી હતી.
મહારાષ્ટ્રમાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસ ત્રણ પાર્ટીઓ સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે ત્યારે અનિલ દેશમુખ કેસ સામે આવ્યા બાદથી જ ત્રણ પાર્ટીઓનો અંદરોઅંદર ક્લેશ વધી ગયો છે. સરકારનો આંતર વિદ્રોહ બધાની સામે આવી ગયો છે ત્યારે હવે પવાર અને અમિત શાહ વચ્ચેની મુલાકાતના અહેવાલથી ઠાકરેનું ટેન્શન જરૂર વધી જશે.