ગાંધીનગરઃ ગુજરાતમાં હાઇવોલ્ટેજ બનેલ જસદણ પેટા ચૂંટણીએ રાજકારણમાં ઉહાપોહ મચાવ્યો છે. ત્યારે જસદણ પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કુંવરજી બાવળીયા જસદણનો જંગ લડશે. ત્યારે કોંગ્રેસ તરફથી હજુ કોઇ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે હવે આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે રાહતના સમાચાર છે. NCP જસદણ પેટા ચૂંટણીને લડશે નહીં. NCP નેતા જયંત બોસ્કીએ જાહેરાત કરી હતી. શંકરસિંહ વાઘેલાના સ્નેહમિલનમાં તેમણે આ જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું સ્નેહ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી લોકો ઉમટ્યા હતા. ત્યારે NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી પણ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
જસદણમાં યોજાનારી પેટા ચૂંટણી પૂર્વે NCPના નેતા જયંત બોસ્કીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે 'આ ચૂંટણી અંગે હાલ કોઈ નિર્ણય કર્યો નથી. ઉમેદવારી કરવા અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. જોકે ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ શકે છે.' પરંતુ શંકરસિંહ વાઘેલાનાં સ્નેહ સંમેલન દરમિયાન બોક્સીએ કહ્યું છે કે NCP જસદણની પેટા ચૂંટણી લડશે નહીં.