શરદ પવાર જ્યારે કૃષિપ્રધાન હતા ત્યારે તેમના દ્વારા કૃષિ સુધારાઓનો સમર્થન કરવાનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ આજે રાજ્યસભામાં કહ્યું હતું કે જે લોકો આજે પલટી રહ્યા છે તેઓ કદાચ પૂર્વ પીએમ મનમોહનસિંહ રાજી થશે.
એનસીપીએ પીએમ મોદી ઉપર કર્યા પ્રહાર
કૃષિ કાયદા મુદ્દે પીએમ મોદીના ભાષણ ઉપર કર્યા પ્રહાર
આજે રાજ્યસભામાં પીએમ મોદીએ આપ્યું હતું ભાષણ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ સોમવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક આદર્શ કાયદો અને ત્રણ નવા કૃષિ કાયદા વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. તેના થોડાક કલાકો પહેલા, પીએમ મોદીએ તમના ભાષણમાં શરદ પવારનો કૃષિ સુધારાઓના સમર્થન કર્યાનો 0 ઉલ્લેખ કર્યો હતો.એનસીપીના પ્રવક્તા અને મહારાષ્ટ્રના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકે પણ કહ્યું હતું કે શરદ પવારની આગેવાનીવાળી પાર્ટી સુધારાની વિરુદ્ધ નથી પરંતુ ત્રણ વિવાદિત કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગણી કરે છે.
વડપ્રધાને શરદ પવારને ટાંકીને કહ્યું હતું કે તેમણે કૃષિ સુધારાઓનું સમર્થન કર્યું હતું
શરદ પવાર જ્યારે કૃષિમંત્રી હતા ત્યારે સુધારણા માટેના સમર્થનનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને રાજ્યસભામાં કહ્યું હતું કે, "જે લોકો આજે પલટી રહ્યા છે તેઓ સંભવત: તેમના (પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ) સાથે સંમત થશે. જો કે આ મુદ્દે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે વડાપ્રધાને એક આદર્શ કાયદો અને ત્રણ કૃષિ કાયદા વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. અમે કાયદા પર સહમતિ બનાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે કે કૃષિ સમવર્તી સૂચિમાં હોવા છતાં પણ વર્તમાન કેન્દ્ર સરકાર આ મુદ્દે કાયદાઓ લઈને આવી છે.
પીએમ લોકોને શું મૂર્ખ બનાવી રહ્યા છે?
એનસીપીના પ્રવક્તાએ આરોપ લગાવ્યો, " આદર્શ (જેને યુપીએ સરકારે લાવવાનો પ્રયાસ કર્યો) અને હાલના કૃષિ કાયદા વચ્ચે મોટો તફાવત છે." કાં તો મોદી સાહેબ આ વાત સમજી રહ્યા નથી અથવા તેઓ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે વડા પ્રધાને નવા કૃષિ કાયદા અને મોડેલ કાયદા વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. તેમણે કહ્યું, એનસીપી અથવા અન્ય કોઈ પાર્ટી સુધારાની વિરુદ્ધ નથી. પરંતુ હાલના કાયદા માટે વડા પ્રધાન અથવા કેન્દ્ર દ્વારા દબાણ કરવું તે યોગ્ય નથી, જ્યારે સર્વસંમતિ બનાવવાની જરૂર છે. લોકોને વિશ્વાસમાં લો અને વર્તમાન કાયદાઓ બદલો. "