ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરે થોડા દિવસ પહેલા ટ્વિટ કરીને કહ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં બહારની તાકાતોએ દખલગીરી ન કરવી જોઇએ. ભારતીયો જ ભારતીઓ અંગે વિચારમાં સક્ષમ છે. સચિન તેંદુલકરના આ ટ્વિટ પર હવે રાજકારણ શરૂ થઇ ગયું છે.
ખેડૂત આંદોલન પર સચિન તેંદુલકરે કર્યું હતું ટ્વિટ
સચિનને શરદ પવારે આપી સલાહ
પોતાના ક્ષેત્રથી અલગ વિષય બોલવા પર સાવધાની રાખેઃ પવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના અધ્યક્ષ શરદ પવારે સચિનને પોતાના વિસ્તારને છોડીને કોઇ અલગ વિષય પર બોલવામાં સાવધાની વર્તવાની સલાહ આપી છે. શરદ પવારે શનિવારે પુણેમાં પત્રકારો સાથે વાત કરતા સચિન તેંદુલકર અને લતા મંગેશકરના ખેડૂત આંદોલનને લઇને આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા નામ લીધા વગર આને લઇને(આંદોલન) જે સલાહ તેમણે આપી છે, તેનાથી જનતામાં નારાજગી છે. તેમમે કહ્યું કે, ખેડૂત આંદોલનને બદનામ કરવા માટે સત્તાધારી પક્ષના નેતા ક્યારેક આંદોલનકારીઓને ખાલિસ્તાની કહે ચે તો ક્યારેક કંઇ બીજુ કહીને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
NCP અધ્યક્ષે કહ્યું કે, તનતોડ મહેનત કરીને આ દેશને જે અનાજ આપીને આત્મનિર્ભર કરનારા ખેડૂતોનું આ આંદોલન છે. ખેડૂતોને બદનામ કરવા સારી વાત નથી. પવાર કૃષિ મંત્રી હતા ત્યારે લખેલો પત્ર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે, હાં, મે પત્ર લખ્યો હતો. તે પત્રમાં 2-3 વાતો પણ સ્પષ્ટ લખેલી છે કે કૃષિ કાયદાને લઇને કાયદામાં સુધાર લાવવો જરૂરી છે. જેના માટે તમામ રાજ્યોના કૃષિ મંત્રીઓની સાથે મીટિંગ કરી હતી અને કેટલાક કૃષિ મંત્રીઓની કમીટિ પણ બનાવી હતી. મહારાષ્ટ્રના હર્ષવર્ધન પાટિલને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
દેશના પૂર્વ કૃષિ મંત્રી પવારે કહ્યું કે, કમિટીના રિપોર્ટ બાદ દરેક રાજ્યને પત્ર લખ્યો. એવું એટલા માટે, કારણ કે કૃષિ રાજ્યનો વિષય છે. દિલ્હીમાં બેસીને આના માટે કાયદો બનાવવાના બદલે દરેક રાજ્ય સાથે વાત કરવી જોઇએ. જેના માટે દરેક રાજ્યને પત્ર લખ્યો હતો જેની આ લોકો વાત કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રકારના કાયદા લાવવા જરૂરી છે તો તેમાં દરેક રાજ્યની રૂચિ હોવી જોઇએ પરંતુ હાલમાં સરકારમાં કૃષિ વિભાગના લોકોને દિલ્હીમાં ચાર દિવાલની અંદર બેસીને ત્રણ કાયદા બનાવ્યા અને તેને સંસદમાં પાસ કરાવી દીધા.
શું કહ્યું હતું સચિન તેંદુલકરે?
ખેડૂત આંદોલન વિશે વિદેશી હસ્તિઓના ટ્વિટ પર સચિને કોઇનું પણ નામ લીધા વગર કહ્યું હતું કે, ભારતની સંપ્રભુતા સાથે સમજૂતી નહીં કરી શકાય. બહારની તાકાતો આમાં હસ્તક્ષેપ ન કરી શકે. ભારતીય જ ભારત અંગે નિર્ણય લઇ શકે છે.