શરદ પવારે કહ્યુ કે 5 રાજ્યોમાં ફક્ત એક જ રાજ્યમાં ભાજપને જીત મળશે.
પવારે કહ્યું કે બાકીના 4 રાજ્યોમાં તેમને હારનો સામનો કરવો પડશે
મહારાષ્ટ્રે આવા ગવર્નર પહેલા ક્યારેય નથી જોયા
5 રાજ્યોમાં ફક્ત એક જ રાજ્યમાં ભાજપને જીત મળશે
મહારાષ્ટ્રના બારામતી પહોંચેલા એનસીપી પ્રમુખે વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યું કે ભાજપ ફક્ત એક જ રાજ્યમાં આસામમાં જીત મળશે. બાકીના 4 રાજ્યોમાં હારી જશે. આસામ ઉપરાંત પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પોંન્ડિચેરીમાં ચૂંટણી થવાની છે.
આસામ સિવાય બાકીના રાજ્યમાં ભાજપ હારી જશે
શરદ પવારના આ નિવેદને ખળભળાહટ ઉભી કરી દીધી છે. પવારે કહ્યું કે આસામ સિવાય બાકીના રાજ્યમાં ભાજપ હારી જશે. ભાજપે આ નિવેદન પર પ્રતિક્રિયા નથી આપી. આ પહેલા પવારે બારામતીમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ પર નિશાન સાધ્યુ. પવારે રાજ્યપાલ ભગતસિંહ કૌશ્યારી પર સંવૈધાનિક જવાબદારીને યોગ્ય રીતે ન નિભાવવાનો આરોપ લગાવ્યો છે. એનસીપી પ્રમુખનું કહેવું છે કે મહારાષ્ટ્રે આવા ગવર્નર પહેલા ક્યારેય નથી જોયા.
ચિંતાજનક છે કે રાજ્યપાલ આ પ્રકારના કામ કરી રહ્યા છે
પવારે યાદ અપાવ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તો તેમણે ફરિયાદ કરી હતી કે રાજ્યપાલ દ્વારા તેમના કામોમાં અડચણ ઉભી કરાય છે. તેમણે આગળ કહ્યુ હતુ કે આ ચિંતાજનક છે કે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં રાજ્યપાલ આ પ્રકારના કામ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર ફક્ત ઘટનાક્રમ જોઈ રહી છે.