મળતી માહિતી અનુસાર શિવસેના રાષ્ટ્રપતિ માટે શરદ પવારના નામની ભલામણ કરી શકે છે. તે 2022માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેના શરદ પવારને ઈચ્છે છે. આ માટે સંજય રાઉત સમગ્ર પ્લાન પર કામ કરી રહ્યા છે. જો શરદ પવારની નિમણૂંક થશે તો 2024માં લોકસભા ચૂંટણીમાં BJPની સત્તા ઘટાડવામાં મદદ મળી શકે છે.
શિવસેના રાષ્ટ્રપતિ માટે શરદ પવારના નામની ભલામણ કરશે
2022માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેના શરદ પવારને ઈચ્છે છે
પહેલા પવાર સાહેબની મંજૂરી લેવી પડશેઃ રાઉત
શરદ પવાર મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનાવવાને માટે કિંગમેકરની ભૂમિકામાં છે. શરદ પવારની કોશિશ બાદ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી એક સાથે આવી અને સરકાર બની. શરદ પવારે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં મોટી ભૂમિકા નિભાવી છે. સાથે જ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ પર નક્કી કરાવવામાં પણ પવારની ભૂમિકા મહત્વની છે. મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ શરદ પવારનું રાજકીય કદ વધી ગયું છે.
શરદ પવારે હાલમાં જ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો છે. તેઓએ પત્રમાં પવારને લખ્યું કે હું તમારી ચિંતા સાથે સહમત છું અને દરેક સમાન વિચારધારા વાળા નેતાઓ અને દળની સાથે સીએએ કાર્યાન્વત અને પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરના વિરોધમાં એકસાથે ઊભા રહેવા પ્રતિબધ્ધ છે. અનેક પાર્ટીઓ સીએએની વિરુદ્ધમાં છે જેમાં શરદ પવારની પાર્ટી પણ સામેલ છે.
સંજય રાઉત કરી રહ્યા છે તૈયારી
શિવસેનાના સંજય રાઉત હાલ સમગ્ર પ્લાન કરી રહ્યાં છે. જ્યાં ભાજપ નથી તેવા રાજ્યોની સંજય રાઉત મુલાકાત કરશે. મમતા બેનર્જી, કમલનાથ, અશોક ગેહલોત સાથે સંજય રાઉત મુલાકાત કરવાના છે. ત્યારે આ મામલે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સંખ્યાબળ અમારી પાસે છે. અમે આ દિશામાં કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. તેના માટે પહેલા પવાર સાહેબની મંજૂરી લેવી પડશે.