વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સાથે છેડો ફાડીને લોકસભા ચૂંટણી પહેલા NCPમાં જોડાનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું છે. બાપુ લોકસભાની ચૂંટણી લડવાના છે કે નહીં તેની લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. જે અટકળોનો આખરે આજે અંત આવી ગયો છે. શંકરસિંહે લોકસભાની ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. બાપુએ કહ્યું કે હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી. બાપુ NCPમાં રહીને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરશે.
લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર સક્રીય થયા છે. શંકરસિંહે થોડા દિવસ અગાઉ ગુજરાત પ્રદેશ NCP કાર્યાલયનો વિધિવત્ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચૂંટણી માટે અમારા ઉમેદવાર તૈયાર છે પરંતું હું ચૂંટણી લડીશ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાયા હતા.