મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને એનસીપી (NCP)એ કોંગ્રેસ પાસે બરાબર બેઠકો માંગી છે. મંગળવારે બેઠકોની વહેચણીને લઇને બંને પાર્ટીઓ વચ્ચે મુંબઇમાં બેઠક યોજાઇ હતી. જેમા એનસીપીના શરદ યાદવે કહ્યું કે, ગત લોકસભા ચૂંટણીમાં એનસીપીનું પ્રદર્શન કોંગ્રેસ કરતા સારું રહ્યું છે.
મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 288 બેઠકો વાળી મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસે 2019માં લોકસભા ચૂંટણી લડી હતી. મંગળવારે બંને પાર્ટીઓ વચ્ચે બેઠક થઇ હતી. બેઠક બાદ એનસીપીના એક નેતાએ કહ્યું કે, હવે પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે. અમે ગત બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસથી વધુ સારું પ્રદર્શન કર્યું છે. તેથી અમને બરાબર બેઠકો મળવી જોઇએ. ત્યારબાદ મંગળવારે એનસીપીના વરિષ્ઠ નેતાઓની પણ બેઠક યોજાઇ. જેમા લોકસભા ચૂંટણીમાં મળેલ હારને લઇને ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં ઇવીએમ પર સવાલ ઉઠાવાયા હતા.
ગત બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કરતા NCPને વધારે બેઠક
ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 25, એનસીપી 20 અને અન્ય સહયોગી બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. એનસીપીને 4 અને કોંગ્રેસને 1 બેઠક પર જીત મળી હતી. બંને પાર્ટીઓ 2014 લોકસભા ચૂંટણમાં પણ સાથે લડી હતી. જેમા એનસીપીને 4 અને કોંગ્રેસને 2 બેઠકો પર સંતોષ કરવો પડ્યો હતો.
કોંગ્રેસ અને એનસીપી 1999થી ગઠબંધનમાં છે. જોકે, 2014ની વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓ અલગ-અલગ ચૂંટણી લડી હતી. 2004 વિધાનસભા ચૂંટણીમાં એેનસીપીને કોંગ્રેસની તુલનામાં વધારે બેઠકો મળી હતી. બાદમાં પાર્ટીએ મુખ્યમંત્રી પદની માંગ કરી હતી.