મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને બીજેપી અને શિવસેનાની વચ્ચે ખેંચતાણ યથાવત છે. આ વચ્ચે શરદ પવારની પાર્ટી એનસીપીએ મોટુ નિવેદન આપ્યું છે. એનસીપીએ કહ્યું કે જો શિવસેના બીજેપી વિના 'જનતાની સરકાર બનાવવા તૈયાર છે, જેની છત્રપતિ શિવાજી મહારાજે કલ્પના કરી હતી, તો તેમણે સકારાત્મક વલણ અપનાવશે.'
મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને બીજેપી અને શિવસેનાની ખેંચતાણ વચ્ચે NCPનું નિવેદન
NCP કહ્યું, શિવસેના બીજેપીને છોડે તો સકારાત્મક વલણ અપનાવીશું
નવાબ મલિકે કહ્યું કે જો શિવસેના લોકોના હિતમાં કોઇ નિર્ણય લે છે તો વિકલ્પ ઉપલબ્ધ થઇ શકે
એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી પાર્ટી લોકોના હિતમાં કોઇ નિર્ણય લે છે તો વિકલ્પ ઉપલબ્ધ થઇ શકે છે. જોકે, એક દિવસ પહેલા જ એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે તેમની પાર્ટી વિધાનસભામાં વિપક્ષની ભૂમિકા નિભાવશે.
એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે એક બાદ એક ઘણા ટ્વિટ કર્યા અને કહ્યું કે 'સરકાર ગઠનની પહેલ શિવસેનાની તરફથી થવી જોઇએ.' એમણે બીજેપી નેતા સુધીર મુનગંટીવાર પર તેમના નિવેદનને લઇને નિશાન સાધ્યુ, કહ્યું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન થોપવાનો કોઇ પ્રશ્ન જ નથી અને તેમની પાર્ટી (NCP) રાજ્યને લોકતાંત્રિક રીતે દિશા આપવાનો પ્રયાસ કરશે. મલિકે કહ્યું કે, ''અમે રાષ્ટ્રપતિ શાસનના માધ્યમથી લોકતંત્રનું ગળુ ઘોટવાનું કામ નહીં કરવા દઇએ. અમે એક વૈકલ્પિક સરકાર આપવા માટે તૈયાર છીએ. શિવસેના અને અન્ય પાર્ટીઓએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ.''
બીજેપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં નાણા મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે જો રાજ્યમાં સાત નવેમ્બર સુધી નવી સરકાર નથી બનતી તો અહીં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઇ શકે છે. તેના પર શિવસેનાએ પલટવાર કરતા કહ્યું કે રાષ્ટ્રપતિ દેશના બંધારણિય પ્રમુખ છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના કાર્યકાળનો દુરપયોગ કરવાનો કોઇ પ્રયાસ 'દેશ માટે ખતરો છે'.