ભાજપે જો NCP ચીફ શરદ પવારની 2 શરત માની લીધી હોત તો ફડણવીસની સરકાર બચી જાત ? સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ભાજપને સમર્થન આપવા માટે પવારે 2 શરત રાખી હતી. પ્રથમ શરત હતી કેન્દ્રની રાજનીતિમાં સક્રિય દીકરી સુપ્રિયા સુલેને કૃષિ મંત્રાલય અને બીજું કે દેવેન્દ્ર ફડણવીસની જગ્યાએ અન્ય કોઇને મુખ્યમંત્રી બનાવવામાં આવે.
શરદ પવારે ભાજપને સમર્થન આપવા રાખી હતી 2 શરત
પ્રધાનમંત્રી મોદીએ ન સ્વીકારી 2 શરતો
જ્યારે આ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આવી ત્યારે તેમણે સરકાર બનાવવાની આ શરતોને સ્વીકારવા તૈયાર ન થયાં. ભાજપના સૂત્રોએ સમચાર એજન્સી IANS ને જણાવ્યું કે, જો મહારાષ્ટ્રમાં સમર્થન હાંસલ કરવા માટે NCP ને કૃષિ મંત્રાલય આપવામાં આવે તો પછી બિહારનું જુનું સહયોગી JDU રેલવે મંત્રાલય માટે દાવો કરીને ધર્મ સંકટ ઉભું કરી શકે. એવામાં પ્રચંડ બહુમતિ છતાં ભાજપના હાથમાંથી 2 મોટા મંત્રાલય ભાજપના હાથમાં રહેત નહીં.
ફડણવીસને કેમ હટાવવા નથી માગતી ભાજપ
સૂત્રોએ પવારની બીજી શરત વિશે જણાવ્યું કે, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં દેવેન્દ્ર ફડણીસ પાંચ વર્ષ સુધી કોઇપણ પ્રકારના ડાઘ વગર સત્તા ચલાવવામાં સફળ રહ્યા અને વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીએ તેમને મુખ્યમંત્રી તરીકેનો ચહેરો બનાવીને ચૂંટણી લડી.
PM મોદીએ કરી હતી ફડણવીસના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત
24 ઓક્ટોબરના રોજ પરિણામ આવવાના દિવસે પાર્ટીના મુખ્ય કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફડણવીસના નેતૃત્વવાળી જ સરકાર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ફડણવીસની જગ્યાએ અન્ય કોઇ વ્યક્તિ મુખ્યમંત્રી તે શરત માનવી ભાજપ માટે મુશ્કેલ હતી.
શરદ પવારે લખ્યો પત્ર
સૂત્રોનું માનવું છે કે આ બંને માંગણીઓ સ્વીકારવા માટે શરદ પવારે ભાજપ અને મોદી-શાહને સંદેશ મોકલીને વિચારણા માટેનો સમય આપ્યો હતો. આ જ કારણ છે કે પરિણામ પછી, પવારે ભાજપના નેતૃત્વ સામે કાઇ મોટું નિવેદન આપ્યું નહોતું, જેના પર ભાજપ તરફથી પછાડવાની તક મળશે. માત્ર શિવસેના અને ભાજપ વચ્ચે વાતચીત ચાલું હતી.