રાષ્ટ્રીય રાજનીતિમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. આ વળાંક NCP અધ્યક્ષ શરદ પવારના નિવેદન બાદ આવ્યો છે.શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.
NCP અધ્યક્ષ શરદ પવારે PM મોદીના વખાણ કર્યા
કામને કરવા માટે મોદી પર્યાપ્ત સમય આપે છે
PM મોદી સહયોગીઓને સાથે લઇ ચાલે છે
NCP અધ્યક્ષ શરદ પવારે PM મોદીના વખાણ કર્યા
રાષ્ટ્રીય રાજનીતિમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. આ વળાંક NCP અધ્યક્ષ શરદ પવારના નિવેદન બાદ આવ્યો છે. શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી મોદીની આગવી કાર્યશૈલીથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું છે કે, પીએમ મોદી હંમેશા પોતાના સહયોગીને લઇને ચાલે છે. મોદી જેવી કાર્યશૈલી અગાઉના પ્રધાનમંત્રીઓમાં જોવા નહોતી મળતી. નરેન્દ્ર મોદીની પ્રશાસન પર સારી પકડ છે. પ્રશાસન પર સારી પકડ એ નરેન્દ્ર મોદીનો મજબૂત પક્ષ છે. પ્રધાનમંત્રી એક વખત કાર્ય શરૂ કરે તા કાર્ય પૂર્ણ કરે ત્યાં સુધી તને પૂર્ણ સમય આપે છે.
પવારે કહ્યું- મોદી જેવી શૈલી પૂર્વ વડાપ્રધાનોમાં નહોતી
શરદ પવારે વધુમાં કહ્યું હતું કે, મોદી પાસે પોતાના સાથી પક્ષોને સાથે લેવાની અલગ રીત છે અને તે શૈલી મનમોહન સિંહ જેવા ભૂતપૂર્વ વડાપ્રધાનોમાં નહોતી.તેમણે કહ્યું કે મારા સિવાય યુપીએ સરકારમાં અન્ય કોઈ મંત્રી નથી જે મોદી સાથે વાત કરી શકે કારણ કે તેઓ મનમોહન સિંહ સરકાર પર સતત પ્રહારો કરતા હતા. પવારે કહ્યું કે હું અને તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહનો મત હતો કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે બદલાની રાજનીતિ ન રમવી જોઈએ.
મેં કોંગ્રેસ છોડી છે, ગાંધી અને નેહરુની વિચારધારા છોડી નથી
સાથે જ શરદ પવારે એમ પણ કહ્યું છે કે તેમણે મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુની વિચારધારા નહીં પણ કોંગ્રેસ છોડી છે. પવારે કહ્યું કે તેમણે કોંગ્રેસ છોડી દીધી છે પરંતુ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુની વિચારધારા ક્યારેય છોડી નથી. પોતાની સાથે જોડાયેલી એક ઘટનાને સંભળાવતા તેમણે કહ્યું કે તેઓ 1991માં ક્યારેય મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે આવવા માંગતા ન હતા પરંતુ તેમણે પડકાર સ્વીકાર્યો અને મહારાષ્ટ્ર પરત ફર્યા.