ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. રાજકીય પાર્ટીઓએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે તોડજોડની રાજનીતિ પણ શરૂ થઇ ચૂકી છે.
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા જોડાશે ભાજપમાંઃ સૂત્ર
24 એપ્રિલે ભાજપનો ખેસ ધારણ કરશે મણિલાલ વાઘેલા
ગુજરાતના રાજકારણનો મોટો ખુલાસો થયો છે. સૌરાષ્ટ્રના ભાજપના પૂર્વ મંત્રીએ ઓપરેશન સૌરાષ્ટ્ર પાર પાડ્યું છે. સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોરબંદરના કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપમાં જોડાશે. કાંધલ જાડેજાએ ભાજપ પ્રદેશ પ્રમખુ સી.આર. પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે કાંધલ જાડેજાને સૌરાષ્ટ્ર પ્રવાસમાં સાથે રાખ્યા હતા.
અમિત શાહની લીલીઝંડી આવતા જ કાંધલ જાડેજા કેસરિયા કરશે. સૂત્રોએ જણાવ્યું કે, 2022 વિધાનસભાની ચૂંટણી કાંધલ જાડેજા ભાજપના બેનર સાથે ચૂંટણી લડશે. સતત 2 ટર્મથી કાંધલ જાડેજા પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય પદે જીતીને આવ્યા છે.
કાંધલ જાડેજા કોણ ?
સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઈતિહાસ મોટો છે.
કાંધલના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં ખુબ મોટી નામના ધરાવે છે.
રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય.
રાણાવાવ-કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે.
કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં NCP માંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા.
કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.
2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસપીનુ ગઠબંધન નહી થયુ હોવા છતા કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હતો.
લોકસભા 2014 ચૂંટણીમાં કાંધલ જાડેજાએ પ્રથમ વખત પોરબંદર લોકસભા બેઠક પરથી એનસીપીમાંથી ચૂંટણી લડી હતી.
જેમાં ભાજપના મોટા નેતા વિઠ્ઠલ રાદડીયા સામે તેઓની હાર થઈ હતી.
વડગામ ગાબડું પાડવા ભાજપનો પ્લાન સફળ
ગુજરાતના રાજકારણના અન્ય પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોગેસના પૂર્વ MLA મણિલાલ વાઘેલા 24 એપ્રિલે વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે. અગાઉ મણિલાલ વાઘેલા PM મોદી સાથે મુલાકાત કરી ચૂક્યા છે. PM સાથેની મુલાકાત બાદ અટકળો વહેતી થઇ હતી. વડગામ ખાતે શક્તિપ્રદર્શન સાથે ભાજપમાં જોડાશે. ભાજપમાં જોડાવા અંગે મણિલાલ વાઘેલાએ તૈયારીઓ આરંભી દીધી છે. રેલીમાં ભાજપનાં દિગ્ગજ નેતાઓ હાજર રહી શકે છે.