પ્રશાંત કિશોર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કરી મુલાકાત
પ્રશાંત કિશોર અને શરદ પવારે કરી મુલાકાત
ત્રણ કલાક ચાલી મિટિંગ
મિટિંગ બાદ અટકળો વહેતી થઈ
ચૂંટણીના ચાણક્ય પ્રશાંત કિશોર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારની મુલાકાત બાદ ઘણી અટકળો વહેતી થઈ છે. જોકે મુલાકાતના એક દિવસ બાદ શનિવારે એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિકે કહ્યું કે 2024 લોકસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ બીજેપીના વિરૂદ્ધનું વલણ ઘરાવતી પાર્ટીઓને 'મહાગઠબંધન' કરવાની જરૂર છે. તેમના સાથેની મિંટિગનું કારણે ઘણા હદ સુધી સ્પષ્ટ થઈ ગઈ છે.
ચૂંટણી પહેલા મહાગઠબંધન
મહારાષ્ટ્ર સરકારે મંત્રી મલિકને કહ્યું, 'આવનાર સામાન્ય ચૂંટણી પહેલા દરેક વિપક્ષી પાર્ટિઓને ભેગા થઈને મહાગઠબંધન કરવાની જરૂર છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે પણ બીજેપીનો મુકાબલો કરવા માટે દરેક દળોના રાષ્ટ્રીય ગઠબંધનને વધારવાની વાત કહી છે. તેમણે કહ્યું કે તે દરેક પાર્ટીઓની સાથે લાવવાનો પ્રયત્ન કરશે. સ્પષ્ટ છે કે ચૂંટણી સલાહકાર પ્રશાંત કિશોરને આંકડા અને સૂચનાઓની સંપૂર્ણ જાણકારી હોય છે. એવામાં 3 કલાકની આ ચર્ચામાં આ મુદ્દો પણ જરૂર આવ્યો હશે.'
3 કલાક ચાલી હતી બેઠક
પ્રશાંત કિશોરે શુક્રવારે મુંબઈ સ્થિત પવારના ઘર પર તેમની સાથે મુલાકાત કરી હતી. જે 3 કલાક સુધી ચાલી હતી. ત્યાર બાદ રાજનૈતિક અટકળોનું બજાર ગરમ છે. જોકે બેઠકમાં શું વાત થઈ તે વિષે આ બન્નેએ કોઈ જાણકારી નથી આપી.
મહત્વનું છે કે ગયા મહિને શિવસેના નેતા સંજય રાઉતે રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષી દળોના ગઠબંધનની જરૂરત જણાવતા કહ્યું હતું કે તેમને આ મુદ્દા પર શરદ પવાર સાથે વાત કરી છે. આ પહેલા તેમણે એમ પણ કહ્યું હતું કે યુપીએનું પુર્નગઠન થવું જોઈએ અને આ નવા મોર્ચાનું નેતૃત્વ પવાર જેવા વરિષ્ઠ નેતાઓને કરવું જોઈએ. જેથી મોર્ચો બીજેપીના મજબૂત વિકલ્પના રૂપમાં ઉભરી શકે.