NCP પ્રમુખ શરદ પવાર આજે EDની ઓફિસમાં બપોરે 2 વાગે હાજર થવાના છે. જેને લઈને મુંબઈ પોલિસના ટ્વિટર પર જાણકારી આપવામાં આવી છે કે આજે સાત વિસ્તારોમાં અહીં કલમ 144 લાગૂ રહેશે. જેથી અશાંતિની ઘટનાઓને અટકાવી શકાય.
NCP અધ્યક્ષ શરદ પવાર સામે EDના કેસનો મામલો
શરદ પવાર આજે બપોરે 2 વાગે ED સમક્ષ થશે હાજર
દક્ષિણ મુંબઈના બલાર્ડ પિયર સ્થિત EDની ઓફિસ જશે.
અશાંતિની ઘટનાઓ ટાળવા માટે પોલીસે સાત વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી
Mumbai Police PRO: Section 144 imposed for tomorrow at Mumbai's Ballad Estate where the Enforcement Directorate office is located. pic.twitter.com/qmciXEPMLR
નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર આજે બેલાર્ડ એસ્ટેટની ED ઓફિસમાં હાજર રહેશે. શરદ પવારે પોતાના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ ઈડી ઓફિસની બહાર ભેગા ન થાય. જો કે તેમના પૌત્ર રોહિત પવારે પાર્ટી કાર્યકર્તાઓને મુંબઈમાં એકસાથે રહેવાની અપીલ કરી છે જેના કારણે શરદ પવારની હાજરી સમયે અશાંતિ ફેલાવવાની આશંકા પણ છે.
As mentioned during my press conference yesterday, I will be visiting the Mumbai ED office at Ballard Estate tomorrow, Friday 27 September, at 14.00 hrs. @MumbaiPolice@NCPspeaks
શરદ પવારે ટ્વિટ કરીને કાર્યકર્તાઓને તપાસમાં સહયોગ આપવા કરી અપીલ
શરદ પવારે કહ્યું કે અમે સંવિધાનનો આદર કરનારા વ્યક્તિઓ છીએ. પોલિસ અને સરકારી એજન્સીઓની સાથેની તપાસમાં સહયોગ આપો. એવું કોઈ કામ ન કરશો કે જેનાથી લોકોને તકલીફ થાય. પવારે એક પછી એક 3 ટ્વિટ કરી અને પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે એવું કોઈ કામ ન કરવું જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે. સાથે જ કહ્યું કે હું બપોરે 2 વાગે ઈડી ઓફિસ જઈશ.
Please take care and make sure that people are not inconvenienced.
તેઓએ અન્ય એક ટ્વિટમાં કહ્યું છે કે હું મારા તમામ એનસીપી કૈડર અને સમર્થકોને ઈડી કાર્યાલય પરિસરની પાસે ભેગા ન થવાની અપીલ કરું છું. સંવિધાન અને સંસ્થાઓના સન્માન માટે અમારી પરંપરાને ધ્યાનમાં રાખીને હું પાર્ટી કાર્યકર્તાઓને પોલિસ અને અન્ય સરકારી એજન્સીઓના સહયોગનો અનુરોધ કરું છું. આ સાથે તેઓએ કાર્યકર્તાઓને કહ્યું કે ધ્યાન રાખજો કે કોઈને અસુવિધા ન થાય.
શું છે વિવાદ?
ઇડીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવાર, તેના ભત્રીજા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહારાષ્ટ્ર સ્ટેટ કોર્પોરેશન બેંક સાથે સંકળાયેલા 70 લોકોનું FIRમાં નામ નોંધાયું છે. આ 25 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ છે. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી હતી.
બેંકને કરોડો રૂપિયાનું થયું છે નુકસાન
આ કૌભાંડમાં, 2007 થી 2011 ની વચ્ચે, આરોપીઓની મિલીભગતને કારણે બેંકને કરોડો રૂપિયાની ખોટ થઈ હોવાનો આરોપ છે. આરોપીઓમાં 34 જિલ્લાના વિવિધ બેંક અધિકારીઓ શામેલ છે. આ નુકસાન સુગર મિલો અને સ્પિનિંગ મિલોને ધિરાણ આપવા અને રીકવરીમાં કરવામાં આવેલ ગેરરીતિઓને કારણે થઈ હતી.