મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા ધનંજય મુંડે પર બળાત્કારના આરોપ પર હવે પાર્ટીના પ્રમુખનું નિવેદન આપ્યું છે. શરદ પવારે કહ્યું છે કે ધનંજય મુંડે પર જે આરોપ લાગ્યા છે તે ગંભીર છે. તેના પર શુ પગલા ભરવામાં આવશે તે અંગે પાર્ટી જલ્દી વિચાર કરશે.
આના પર જલ્દી નિર્ણય લેવાશે - શરદ પવાર
એક મહિલા સિંગરે ધનંજય મુંડે પર ગંભીર આરોપ લગાવ્યા
હવે બન્ને બહેનો તેમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહી છે - મુંડે
આના પર જલ્દી નિર્ણય લેવાશે - શરદ પવાર
ગુરુવારે આ વિવાદને લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કહ્યું કે અમારે આના પર જલ્દી નિર્ણય લેવો પડશે. કેમ કે જે આરોપ લાગ્યા છે તે ગંભીર છે, પાર્ટી સ્તર પર જલ્દી આને લઈન નિર્ણય કરવામાં આવશે. પરંતુ જ્યારે શરદ પવારને સવાલ કરવામાં આવ્યો કે ધનંજય મુંડે પર કોઈ અનુશાસનાત્મક પગલા ભરવામાં આવશે. તો તેમણે જવાબ ટાળતા પોતાની વાત વાગોળી કહ્યુ આરોપો ગંભીર છે અને પાર્ટી જલ્દી કોઈ નિર્ણય કરશે.
એક મહિલા સિંગરે ધનંજય મુંડે પર ગંભીર આરોપ લગાવ્યા
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા મહારાષ્ટ્રમાં એક મહિલા સિંગરે રાજ્ય સરકારમાં મંત્રી ધનંજય મુંડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મહિલાના જણાવ્યાનુંસાર છેલ્લા કેટલાય વર્ષોમાં તેનો રેપ થયો છે. આ આરોપો બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાચ મચ્યો છે.
જેનાથી તેમના 2 બાળકો પણ છે
જો કે આ મામલામાં ધનંજય મુંડે તરફથી સ્પષ્ટતા પણ કરવામાં આવી. મંત્રીએ કહ્યું કે જે મહિલાએ તેમના પર આરોપ લગાવ્યા છે . તે તેમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે ધનંજય મુંડેએ એ વાતને સ્વીકારી હતી કે ફરિયાદી મહિલાની બહેન સાથે તેમના સંબંધો રહ્યા છે જેનાથી તેમના 2 બાળકો પણ છે.
હવે બન્ને બહેનો તેમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહી છે
મંત્રીના જણાવ્યાનુંસાર જો કે તેમને પરિવાર તે બે બાળકોને અપનાવી ચૂક્યો છે. તેમજ જેની સાથે તેમનો સંબંધ હતો તેને ઘર પણ આપી ચૂક્યા છે. પરંતુ હવે બન્ને બહેનો તેમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ તરફથી આ મામલામાં અનેક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે.