મહારાષ્ટ્રમાં એક દર્દનાક દૂર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સંજય શિંદેની કારમાં હેંડ સેનિટાઇઝરના કારણે આગ લાગી. આ દૂર્ઘટનામાં NCP નેતા શિંદેનું સળગી જવાથી મૃત્યું થયું છે. જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર કારમાં શોર્ટ સર્કિટ થયું હતું અને હેન્ડ સેનિટાઇઝના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ. સંજય શિંદેની ગાડીમાં જે સમયે આગ લાગી તે સમયે તેઓ મુંબઇ-આગ્રા હાઇવે પર પિંપલગામ બસવંત ટોલ પ્લાઝા પાસે હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ NCP નેતા સંજય શિંદેની કાકરમાં જ્યારે આગ લાગી, ત્યારે શિંદે દરવાજો ખોલવા તેમજ બારી તોડવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ કાર સેન્ટ્રલ લોક થઇ જવાના કારણ તરત દરવાજો ખોલી ના શક્યા અને તેઓની અંદર જ સળગી જવાથી મોત થઇ ગઇ.
જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર સંજય શિંદે નાસિક જેલના તેઓ દ્રાક્ષના નિકાસકાર હતા. પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટના મંગળવારના બપોરના રોજ પિંપલગામ બસવતં ટોલ પ્લાઝા પાસે થઇ, જ્યારે શિંદે કિટનાશ ખરીદવા માટે પિંપલગામ જઇ રહ્યાં હતા. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે તેમની કારમાં આગ લાગી.
પોલીસના જણાવ્યાં મુજબ કારમાં જ્યારે આગ લાગી તો સ્થાનિક લોકો દોડીને કાર પાસે પહોંચ્યા અને અંદર બંધ સંજય શિંદેને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઇ ગયું હતું. સ્થાનિક લોકોએ તરત ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી. જો કે ત્યાર બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો.