NCP નેતા નવાબ મલિકને મુંબઈની જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમને કેમ દાખલ કરવામાં આવ્યા તે કારણ હજુ નથી આવ્યું. આપને જણાવી દઈએ કે થોડાક સમય પહેલા ઈડીએ મની લોન્ડ્રીંગ કેસમાં તેમની ધરપકડ કરી હતી.
નવાબ મલિકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
થોડાક દિવસો પહેલાજ ઈડીએ કરી હતી ધરપકડ
દાખલ થવા પાછળનું કારણ હજું અકબંધ
મહારાષ્ટ્રના મંત્રી અને NPC નેતા નવાબ મલિકને મુંબઈની જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમને હોસ્પિટલમાં કેમ ખસેડવામાં આવ્યા છે. તે હજુ સામે નથી આવ્યું. થોડાક દિવસ પહેલાજ ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતીને 3 માર્ચ સુધી તેમને કસ્ટડીમાં રાખવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.
દાઉદની કંપની સાથે સંબંધ
દાઉદ ઈબ્રાહિમની ડી કંપની સાથે તેમના સંબંધો હાવોની માહિતીને લઈ મની લોન્ડ્રિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે તેમની ગત બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી નવાબ મલિક ચર્ચામાં છે. તેમને એનસીબી અધિકારી સમીર વાનખેડે સામે પણ ગંભીર આરોપ લગાવ્યા હતા.
ઈડી અન્ય મામલે પણ ધરપકડ કરી શકે છે
સમીર વાનખેડેએ નવાબ મલિકના જમાઈની ધરપકડ કરી હતી. જેમા તેની સામે માદક પદાર્થોનું સેવન અને તેની હેરફેર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગત બુધવારે વિશેષ અદાલતે તેમને રિમાન્ડ પર મોકલાવનો નિર્ણય લીધો હતો. સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે ઈડી બીજા ઘણા બધા મામલાઓ સામે તેમની ધરપકડ કરી શકે છે.
હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું કારણ અકબંધ
ઉલ્લેખનીય છે કે નવાબ મલિકના વકિલે એવું કહ્યું હતું કે તેઓ બ્લડ પ્રેશરના દર્દી છે જેથી તેમને દવા તેમજ ખાવાનું આપનું જોઈએ જેથી કોર્ટે તેમની આ વાત માની હતી. જોકે તેમની ધરપકડ બાદ વાતાવરણ ઘણું ગરમાયું છે. સાથેજ હવે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા જોકે તેમને કેમ હોસ્પિટલમાં દાખલ કરવામાં તે કારણ હજુ પણ અકબંધ છે.