આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને NCP નેતા તથા મંત્રી નવાબ મલિક વચ્ચેની લડાઈ ઉગ્ર બની છે
NCBના વાનખેડે અને મંત્રી નવાબ મલિક વચ્ચેની લડાઈ ઉગ્ર બની
વાનખેડે કેન્દ્ર સરકારની કઠપૂતળી-નવાબ મલિક
વાનખેડે એક વર્ષમાં નોકરી ગુમાવશે
વાનખેડેનો આવ્યો જવાબ, કહ્યું મંત્રી જેલમાં મોકલવા માગતા હોય તો તૈયાર છું
મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી નવાબ મલિકે ગુરુવારે સાંજે NCB ચીફ સમીર વાનખેડે પર હુમલો કરતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર પાસે વાનખેડે નામની એક કઠપૂતળી છે. તે લોકોને ખોટા કેસોમાં ફસાવવાનું કામ કરે છે.
I am a central government employee, so I have to take due permission from my seniors and after that, I will take a legal course: NCB Zonal Director Sameer Wankhede when asked if he will take any legal action regarding Maharashtra Minister Nawab Malik's allegations pic.twitter.com/qyrJyb7vOc
સમીર વાનખેડે એક વર્ષમાં નોકરી ગુમાવશે-મંત્રી નવાબ મલિક
મલિકે જણાવ્યું કે વાનખેડેને મારો પડકાર છે કે તેઓ એક વર્ષમાં તેમની નોકરીમાંથી હાથ ધોઈ બેસશે. તેમણે કહ્યું કે તમે જેલમાં નહીં જાય ત્યાં સુધી લોકો ચૂપ નહીં બેસે. અમારી પાસે તમારા દરેક નકલી કેસોમાં પુરાવા છે. એટલું જ નહીં પરંતુ તેમણે સવાલભર્યા સૂરમાં પૂછ્યું કે કહો તમારા બાપ કોણ છે, જેઓ દબાણ કરી રહ્યાં છે. નવાબ મલિક કોઈના બાપથી ડરતા નથી.
મંત્રી મહોદય જેલમાં મોકલવા માગતા હોય તો તૈયાર છું-સમીર વાનખેડેનો જવાબ
નવાબ મલિકના આરોપ બાદ એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનો જવાબ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે હું તો એક નાનો અધિકાર છું જો મંત્રી મહોદય ડ્રગ્સની સામે કાર્યવાહી બદલ મને જેલમાં મોકલવા માગતા હોય તો સ્વાગત છે. તેનાથી મારી હિંમત નહીં ડગે ઉલટાની વધશે. નવાબ મલિકની સામે કાનૂની કાર્યવાહી કરવાના સવાલ પર વાનખેડેએ જણાવ્યું કે સિનિયર્સની મંજૂરી પછી તેઓ કાર્યવાહી કરવાનો નિર્ણય લેશે.
#WATCH मेरी शुभकामनाएं उनके साथ है। मैं एक छोटा सरकारी अधिकारी हूं। वे(नवाब मलिक) बड़े मंत्री है। ड्रग्स हटाने के लिए अगर वे मुझे जेल में डालना चाहते हैं तो मैं उसका स्वागत करता हूं: NCP नेता नवाब मलिक के बयान पर NCB अधिकारी समीर वानखेड़े, मुंबई pic.twitter.com/B1KxQJGLyV
ડ્રગ્સ વિવાદ વચ્ચે વાનખેડે વર્સેસ મલિક વિવાદ શું છે?
વાસ્તવમાં ગત વર્ષે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં ડ્રગ કનેક્શન સામે આવ્યું હતું. ત્યારબાદ એનસીબીએ કાર્યવાહી કરી હતી અને બોલિવૂડની ઘણી અભિનેત્રીઓની પૂછપરછ કરી હતી અને કેટલીકની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, કોમેડિયન ભારતી, રિયા ચક્રવર્તી સહિત ઘણાને નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્યારથી મહારાષ્ટ્ર સરકાર એનસીબી અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર મહારાષ્ટ્રને બદનામ કરવાનો સતત આરોપ લગાવી રહી છે.
મંત્રી નવાબ મલિકના જમાઈને પણ ડ્રગ્સ કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. દરમિયાન આ મહિને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામે આવતાં મલિક અને વાનખેડે વચ્ચેનો વિવાદ વધ્યો હતો. નવાબ મલિક સેલિબ્રિટીઝ અને તેના જમાઈને બનાવટી કેસમાં ફસાવવાનો દાવો કરી રહ્યો છે. મલિકે ગુરુવારે એવો પણ દાવો કર્યો હતો કે સમીર આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પણ હતો જ્યારે કોરોના મહામારી સમયે સેલિબ્રિટીઝ માલદીવમાં હતા. તે પણ સાજા થવા ગયો. આ ઉપરાંત મલિક વાનખેડે અને તેના પરિવાર પર પણ કટાક્ષ કરી રહ્યો છે.