કોરોના સંકટ સમયમાં મહારાષ્ટ્રની સરકાર પર સંકટ જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલથી લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ સતત ટ્રેન અને પ્રવાસીઓની ઘર વાપસીને લઇને ઉદ્ધવ સરકાર પર નિશાન તાકી રહ્યાં છે. જો કે આ બધા વચ્ચે NCP અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યિારી સાથે મુલાકાત કરી છે. જો કે એવી અટકળો લગાવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકાર પર હાલમાં સંકટ જોવા મળી રહ્યું છે જેને લઇને શરદ પવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે.
જો કે આ મુલાકાતને લઇને NCP નેતા શરદ પવારે જણાવ્યું કે રાજ્યપાલે ચા પીવા માટેનું આમંત્રણ આપ્યું હતુ જેમાં કોઇપણ પ્રકારની રાજનૈતિક ચર્ચા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શરદ પવારે જ્યારે સંસદમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી ત્યારે રાતોરાત ભાજપે NCP સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી લીધી હતી.
Nationalist Congress Party President Sharad Pawar calls on Maharashtra Governor Bhagat Singh Koshyari at Raj Bhavan in Mumbai. pic.twitter.com/DgPHn260Rm
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, કોઇ ચિંતા નહી, સરકાર મજબૂત
રાજ્યના રાજકારણને લઇને શિવસેના સાંસદ સંજય રાઉતે ટવિટ કરી જણાવ્યું કે સરકાર પર કોઇપણ પ્રકારનું સંકટ નથી. સંજય રાઉતે કહ્યું કે કાલે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં મુલાકાત થઇ હતી. બંને નેતાઓ વચ્ચે અંદાજે દોઢ કલાક સુધી ચર્ચા થઇ. જો કોઇ સરકારની સ્થિરતાને લઇને સવાલ ઉભા કરી રહ્યું હોય તો તે તેના પેટનું દર્દ માનવું.
"Sharad Pawar & CM Uddhav Thackeray met at Matoshri last evening.The two leaders held talks for one&a half hours.If anyone is spreading news about stability of the govt, it should be considered as their stomach ache.The govt is strong. No worries", Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/NeLkBZ1JnV
મહારાષ્ટ્રના પૂર્વ CM નારાયણ રાણેએ ઠાકરે સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવામાં નિષ્ફળ ગઇ હોવાનું જણાવ્યું હતું. આ સરકાર પાસે ક્ષમતા નથી. જેને લઇને સરકારને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઇએ. નારાણય રાણેએ કહ્યું હતું કે સરકાર લોકોના જીવ બચાવવામાં સક્ષમ નથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર ચલાવવામાં સક્ષમ નથી. નારાયણ રાણેએ આરોપ લગાવ્યો કે કોરોનાના કારણે રાજ્યમાં ઘેરુ સંકટ ઉભુ થઇ ગયું છે.
Former Maharashtra CM and BJP leader Narayan Rane met
Governor Bhagat Singh Koshyari today and demanded that President's Rule be imposed in the state. pic.twitter.com/3Ava55SMbh