70 દિવસ બાદ દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાશે. ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત દેશની 18 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. ત્યારે આ દરમિયાન હવે ગુજરાત પ્રદેશ NCPના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. સાથે હવે ગુજરાતમાં શંકરસિંહની સત્તા પર કાપ થતા નારાજગી સામે આવી છે.
ગુજરાત પ્રદેશ NCPના નવા પ્રમુખ તરીકે જયંત પટેલની નિમણૂંક
NCP સુપ્રીમો શરદ પવારે કરી જયંત પટેલ(બોસ્કી)ની નિમણૂંક
ગુજરાતમાં શંકરસિંહની સત્તા પર કાપ થતા નારાજગી
ગુજરાત પ્રદેશ NCP(રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ)ના નવા પ્રમુખ તરીકે જયંત પટેલની નિમણૂંક કરવામાં આવી છે. જયંત પટેલ(બોસ્કી) અગાઉ પણ NCPના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે. શંકરસિંહ સાથે મળીને જયંત પટેલે કામ કરવાનું રહેશે. NCP સુપ્રીમો શરદ પવારે જયંત પટેલ(બોસ્કી)ની નિમણૂંક કરી છે.
ગુજરાતમાં શંકરસિંહની સત્તા પર કાપ થતા નારાજગી
ત્યારે હવે શંકરસિંહ વાઘેલા ફરી નવાજૂની કરવાની મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. શંકરસિંહે ટ્વીટર પરથી NCP નેતા તરીકેની ઓળખ દૂર કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ ટ્વીટર પર NCP જનરલ સેક્રેટરીને ઓળખ રાખી હતી, ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી તરીકેની ઓળખ રાખી છે.
NCPમાં પણ 2 ભાગ પડ્યા હોવાની ચર્ચા
મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલા વર્ષ 2018ની રાજ્યસભાની ચૂંટણી, 2019ની લોકસભા ચૂંટણી અને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અગાઉથી આયોજન કરીને કોંગ્રેસ સાથે છેડો ફાડીને તેમણે નવો પક્ષ અને મોરચો રચ્યો હતો. જેમાં તેમને નિષ્ફળતા મળતા તેમણે પોતાના જ પક્ષોનું વિસર્જન કર્યું હતું. ત્યારબાદ તેઓ NCPમાં જોડાયા હતા. ત્યારે પક્ષના વર્તુળો માને છે કે, જયંત બોસ્કી અને શંકરસિંહ વાઘેલાને બનતું નથી. તેથી હવે NCPમાં પણ 2 ભાગ પડ્યા હોવાનું મનાય છે.