દેશમાં 33 ટકા વિદ્યાર્થી પરીક્ષા અને પરિણામની ચિંતાના કારણે હંમેશા બીજાની સરખામણીએ પ્રેશરમાં રહે છે.
તાજેતરમાં થયેલા એક સર્વેમાં થયો મોટો ખુલાસો
દેશના 33 ટકા બાળકો ભણવાની ચિંતા રહે છે
પરીક્ષા અને પરિણામની ચિંતાનું પ્રેશર
દેશમાં 33 ટકા વિદ્યાર્થી પરીક્ષા અને પરિણામની ચિંતાના કારણે હંમેશા બીજાની સરખામણીએ પ્રેશરમાં રહે છે. રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષમ પરિષદે તમામ રાજ્યોમાં 3.79 લાખ વિદ્યાર્થીઓ પર માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણને લઈને સર્વે કર્યા બાદ આ ખુલાસો કર્યો છે.
આ સર્વે અનુસાર, 73 ટકા બાળકો શાળાકીય જીવનથી સંતુષ્ટ નથી, જ્યારે 45 ટકા શીરીરિક છબીને લઈને પ્રેશરમાં રહે છએ. એનસીઈઆરટીએ જણાવ્યું છે કે, બાળકો જ્યારે પ્રાથમિકથી સેકન્ડરીમાં આવે છો, તો વ્યક્તિગત અને શાળાકીય જીવનને લઈને સંતુષ્ટિની ભાવનામાં કમી જોવા મળે છે. સેકેન્ડરી સ્તર પર ઓળખવાનું સંકટ, સંબંધોને લઈને વધતી સંવેદનશીલતા, સમકક્ષાનું પ્રેશર, બોર્ડ પરીક્ષાનો ડર, ભવિષ્યમાં એડમિશનને લઈને ચિંતા અને અનિશ્ચિતતાઓ જોવા મળી છે. સર્વેના પરિણામ મંગળવારે જાહેર કર્યા હતા.
73 ટકા બાળકો શાળાકીય જીવનથી સંતુષ્ટ
28 ટકા બાળકોને પ્રશ્ન પુછવામાં થાય છે તકલીફ
ત્રણ મહિનામાં સર્વે, બાળકીઓની ઓળખાણ ગુપ્ત રખાઈ
એનસીઈઆરટીની મનોદર્પણ એકમને સર્વેની જવાબદારી સોંપવામાં આવી હતી. ધોરણ છથી આઠ અને નવથી 12ના વિદ્યાર્થીઓને સામેલ કરીને જાન્યુઆરીથી લઈને માર્ચ 2022 સુધી આ સર્વે કર્યો હતો. સર્વેમાં બાળકોની ઓળખાણ ગોપનિય રાખવામાં આવે છે, જેના કારણે તેમને પોતાની વાત કહેવામાં યોગ્ય વાતાવરણ મળે.
51 ટકા લોકો ઓનલાઈન અભ્યાસથી પરેશાન
81 ટકા બાળકોએ અભ્યાસ, પરીક્ષા, પરિણામને ચિંતાનું સૌથી મોટુ કારણ ગણાવ્યું
કુલ બાળકોમાં 43 ટકા બાળકો ફેરફારને જલ્દી આત્મસાત કરી લે છે
યોગ અને ધ્યાનથી તણાવ કરે છે દૂર
યોગ અને ધ્યાન, વિચારમાં પરિવર્તનના પ્રયાસ તથા જર્નલ્સ લખવા, આવી રીતે બાળકો તણાવ દૂર કરે છે .