અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 7 મહિનાથી વધારેનો સમય થઇ ગયો છે ત્યારે તેનો કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો છે. તે સિવાય આ કેસની તપાસ એનસીબી પણ કરી રહી છે. જ્યારેથી સુશાંતના કેસમાં ડ્રગ એન્ગલ આવ્યો છે ત્યારથી સમગ્ર બોલિવૂડ પર એનસીબીની નજર છે. હાલમાં જ સુશાંત કેસમાં મોટો ખુલાસો થયો છે.
સુશાંત કેસમાં મોટો ખુલાસો
ઋષિકેષ પવારની તલાશ
સુશાંત કેસમાં સવાલ પર સવાલ
પૂર્વ આસિસ્ટન્ટની તલાશ
સુશાંત કેસને આટલો સમય થઇ ગયો છે ત્યારે હવે એક્ટરના પૂર્વ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઋષિકેશ પવારને શોધી રહ્યાં છે. તે ઘણા લાંબા સમયથી ફરાર છે અને તેના પર આરોપ છે કે તે સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
પવાર છેલ્લા થોડા દિવસ પહેલા અગ્રિમ જામીન માટે કોર્ટ પહોંચ્યા હતા. તેને ધરપકડનો ડર હતો અને ગુરુવારે NDPS કોર્ટે તેની અપીલ રિજેક્ટ કરી દીધી હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ અંગ્રેજી છાપાને ઇન્ટરવ્યૂ આપ્યું અને તેમને જણાવ્યું કે પવારે થોડા સમય પહેલા સુશાંત સાથે કામ કર્યુ હતુ પરંતુ ગયા વર્ષે તેને કામથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
પવારની તલાશમાં NCB
એનસીબીના અધિકારીઓનું કહેવું છે કે, પવાર મુંબઇના ચેમુર વિસ્તારમાં રહે છે. તેને નોકરીથી હટાવી દેવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં તે સુશાંતને મળવા સતત તેના ફ્લેટ પર જતા હતા. એનસીબીના અધિકારીના કહ્યાં અનુસાર તેની પૂછપરછ કરવા ઇચ્છતા હતા પરંતુ તે તપાસમાં સહયોગ નહોતા આપી રહ્યાં અને સમન આપ્યા બાદ પણ તેણે પૂછપરછ માટે ના કહી દીધી હતી. આ ઘટના બાદથી તેના પર વધારે શંકા ગઇ છે.
અત્યાર સુધીની તપાસ
ગયા વર્ષે કેસમાં એનસીબીએ 27 લોકોની ધરપકડ કરી હતી. જેમાં એક્ટર પ્રતિક ચૌહાણ, ઓસ્ટ્રેલિયાનો નાગરિક પૉલ, રિયા ચક્રવર્તી, શૉવિક ચક્રવર્તી, વગેરેની ધરપકડ કરી હતી. સાથે જ શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, રકુલપ્રીત, સારા અલી ખાન, અર્જુન રામપાલ વગેરે જેવા દિગ્ગજ કલાકારોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
14 જૂનના રોજ થઇ હતી મોત
સુશાંત સિંહ રાજપૂતની મોત 14 જૂન 2020ના રોજ તેમના મુંબઇ સ્થિત ઘરમાં થઇ હતી. કથિત રીતે તેણે આત્મહત્યા કરી છે તેવું સામે આવ્યુ હતુ. મુંબઇ પોલિસ, સીબીઆઇ, એનસીબી જેવી તપાસ સંસ્થાના હાથમાં સુશાંતનો કેસ હતો પરંતુ અત્યાર સુધી કોઇ પણ ફાઇનલ રિપોર્ટ સબમિટ ન થતા તેના પરિવાર અને ફેન્સ નિરાશ થયા છે.