સુશાંત સિંહ કેસમાં સામે આવેલ ડ્રગ કનેક્શન મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ છે અને દરરોજ નવા-નવા વણાંકો આવી રહ્યા છે. ત્યારે આ મામલે તપાસ કરી રહેલી NCB ટીમે હવે સુશાંતના ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી. અહીં તપાસ દરમિયાન કેટલીક ચોંકવનારી બાબતો તેમના ધ્યાનમાં આવી હોવાની વાત સૂત્રો દ્વારા જાણવા મળી છે.
સુશાંત સિંહ કેસમાં વધુ એક વણાંક
NCB ટીમે હવે સુશાંતના ફાર્મ હાઉસની મુલાકાત લીધી
ફાર્મ હાઉસ પર અવર-જવર કરતા લોકો પર NCBની નજર
ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન એનસીબીની ટીમે સુશાંતના ઘરેથી હુક્કા પીવાનો સામાન મળી આવ્યો હતો. આ સિવાય કેટલીક દવાઓ પણ મળી આવી હતી. સુશાંતના ફાર્મ હાઉસમાં, NCBની ટીમને નશો માટે વપરાયેલી કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે પરંતુ તે ખૂબ સાફ કરવામાં આવી હતી. તે બતાવે છે કે ફાર્મ હાઉસમાં પાર્ટીઓ થતી હતી.
ફાર્મ હાઉસ પર અવર-જવર કરતા લોકો પર NCBની નજર
હવે આ મામલે NCBની નજર ફાર્મ હાઉસ પર આવતા-જતા લોકો પર છે. કોણ-કોણ સુશાંતના ફાર્મ હાઉસ પર આવતા હતા અને ત્યારબાદ શું થતું હતું. NCB આ તમામ પ્રકારના સવાલોના જવાબ શોધી રહી છે. NCBએ સુશાંતના ફાર્મહાઉસની નજીકથી CCTVની DVR સીલ કર્યું છે જેમાં સુશાંતના ફાર્મહાઉસમાં આવતા-જતાં લોકોની ભાળ મેળવી શકાય છે.
ફાર્મ હાઉસની સામે રહેલ ટાપુની પણ NCBએ લીધી મુલાકાત
એનસીબીની ટીમ પણ ફાર્મહાઉસની સામે ટાપુ પર ગઈ હતી જ્યાં સુશાંતે રિયા ઉપરાંત બોલિવૂડની બે અભિનેત્રીઓને લઇને ગયો હતો. એનસીબીને તે ટાપુમાં ડ્રગ્સ પાર્ટી વિશે પણ માહિતી મળી છે. એનસીબી દ્વારા અત્યાર સુધીમાં પૂછપરછ કરાયેલા તમામ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
ફાર્મહાઉસ લોનાવાલામાં આવેલ છે
આપને જણાવી દઇએ કે, ફાર્મહાઉસ લોનાવાલામાં આવેલ છે. તેમણે આ ફાર્મ હાઉસ રેન્ટ પર રાખ્યું હતું અને લોકો મોટી સંખ્યામાં અહીં અવર-જવર કરતા હતા.
ફાર્મહાઉસના કેરટેકરે આપ્યું નિવેદન
તાજેતરમાં, ફાર્મહાઉસના કેરટેકરે પણ કહ્યું હતું કે સુશાંત પોતાનો સમય ફાર્મહાઉસમાં ગાળવાનું પસંદ કરે છે. અહીં તેઓ પાસે ત્રણ કૂતરા છે. સુશાંતે આત્મહત્યાના એક દિવસ પહેલા તે પાલતુ કૂતરાના નામે કેરટેકરના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા.